હાર્વર્ડ યુનિવર્સિટી : 386 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર અશ્વેત અધ્યક્ષ

હાર્વર્ડ યુનિવર્સિટી : 386 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર અશ્વેત અધ્યક્ષ

હાર્વર્ડ યુનિવર્સિટીની સ્થાપના 1636માં થઇ હતી. તેનાથી અંદાજે 386 વર્ષ બાદ પહેલી વાર કોઇ અશ્વેત મહિલાની અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઇ છે. ક્લોડીન ગે હાર્વર્ડના 30મા અધ્યક્ષ બન્યા છે. આ સાથે જ આ સન્માન પ્રાપ્ત કરનારાં બીજાં મહિલા પણ છે. ગે યુનિવર્સિટીમાં એક ડીન અને ડેમોક્રેસી સ્કોલર પણ છે.

જોકે પ્રેસિડેન્ટ તરીકે જુલાઇ 2023માં કાર્યભાર સંભાળશે. તેઓ લોરેન્સ બેકોનું સ્થાન લેશે જે પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે પદ છોડી રહ્યાં છે. 2001થી 2012 સુધી બ્રાઉન યુનિવર્સિટીનું નેતૃત્વ કરનારા રૂથ સિમન્સ પછી ગે આઇવી લીગમાં એકમાત્ર અશ્વેત અધ્યક્ષ અને બીજા અશ્વેત મહિલા છે. 52 વર્ષના ડૉક્ટર ગે 2006થી હાર્વર્ડમાં આફ્રિકન અને આફ્રિકન-અમેરિકન સ્ટડીઝના પ્રોફેસર છે.

અગાઉ, ડૉ. ગે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના આસિસ્ટન્ટ અને એસોસિયેટ પ્રોફેસર હતા. અહીં તેમણે ઇકોનોમિક્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે. તેમણે 1998માં હાર્વર્ડમાંથી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે. તેઓ ફિલિપ્સ એક્સેટર એકેડેમીમાંથી 1988ની બેન્ચના ગ્રેજ્યુએટ છે.

અસમાનતાનો મુદ્દો ઉઠાવનાર ગેને અમેરિકન રાજકીય ભાગીદારીના મુદ્દા પર અગ્રણી અવાજ મનાય છે. તેઓ હાર્વર્ડની અસમાનતા વિષયને લગતા સેન્ટરના સંસ્થાપક અધ્યક્ષ પણ છે, જે વૈશ્વિક દૃષ્ટિએ ગરીબી અને શૈક્ષણિક અવસર પર અભાવ અને અમેરિકન અસમાનતા જેવા મુદ્દાઓ પર રિસર્ચ કરે છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow