Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Rajkot crime

લોધિકાના હરીપર ગામે ત્રાટક્યું ખાણખનીજ વિભાગ

Gujaratnow1 min read
લોધિકાના હરીપર ગામે ત્રાટક્યું ખાણખનીજ વિભાગ

રાજકોટની ભાગોળે ખનીજચોરીનો મસમોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખનીજ માફિયાઓએ ગૌચર ખોદી નાખી લાખો ટન સોફ્ટ મોરમ સગેવગે કરી દીધી છે. ખાણ ખનીજ વિભાગની ઓચિંતી રેડથી સ્થાનિક તંત્ર પણ ઊંઘતું ઝડપાયું હતું. તંત્ર લોડર, એસ્કેવેટર, ટ્રક અને ટ્રેક્ટર સહિતનો 75 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે અને સોમવારે માપણી કરી કરોડોનો દંડ ફટકારાય તેવી શક્યતા છે.

ગૌચર ખોદી નાખી લાખો ટન સોફ્ટ મોરમ સગેવગે કરી દીધી
રાજકોટ શહેરથી માત્ર 15 કિ.મી. દૂર આવેલા લોધિકા તાલુકાના હરીપર(તરવડા) અને ચીભડાની સીમ વચ્ચે ઘણા સમયથી ખનીજચોરીની ફરિયાદ ઊઠી હતી જેને લઈને ભુસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરે તપાસનો આદેશ કરતા માઈન્સ સુપરવાઈઝર એચ.એમ. સોલંકી, જે.એમ. પોમલ, એ. એન. પરમાર અને ડી.એસ. જાડેજાએ ખાનગીરાહે તપાસ કરી વહેલી સવારે ઓચિંતી રેડ કરી હતી જેમાં ગામના સીમાડે જ ખોદકામ ચાલુ જોવા મળ્યું હતું. સ્ટાફ આવતા જ દોડાદોડી થઈ ગઈ હતી.

ખનીજચોરીનો મસમોટો કિસ્સો સામે આવ્યો
​​​​​​​​​​​​​​પણ વાહનો હટી શક્યા ન હતા અને 2 લોડર, 1 એસ્કેવેટર, 2 ટ્રેક્ટર અને એક ટ્રક સહિતનો અધધ 75 લાખ રૂપિયાના વાહનો જપ્ત કરીને લોધિકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. પ્રાથમિક તબક્કે આ ખનીજચોરી ગુલાબ ઠેબા કરી રહ્યો હોવાનું ખુલ્યું છે. આ વિસ્તારમાં હવે ખાણખનીજ વિભાગ માપણી કરીને કેટલું ખનીજ ચોરાયું છે તેનો હિસાબ કરી દંડ ફટકારાશે.

Gujaratnow1 min read

Related News