રવિવારે હરિ-હર મિલન થશે, આ તિથિએ ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા એકસાથે થાય છે

રવિવારે હરિ-હર મિલન થશે, આ તિથિએ ભગવાન શિવ અને વિષ્ણુજીની પૂજા એકસાથે થાય છે

કારતક મહિનાના સુદ પક્ષની ચૌદશ રવિવારે ઊજવવામાં આવશે. જેને વૈકુંઠ ચૌદશ પણ કહેવાય છે. આ રાતે હરિ-હર મિલન થશે. હરિ એટલે ભગવાન વિષ્ણુ અને હર એટલે ભગવાન શિવ. આ દિવસે શિવજી ભગવાન વિષ્ણુને સૃષ્ટિના સંચાલનનો કાર્યભાર સોંપ છે.

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન દેવશયની અગિયારસથી દેવઊઠી અગિયારસ સુધી શિવને સંપૂર્ણ જગતની રાજસત્તા સોંપીને ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા જાય છે. વૈકુંઠ ચૌદશના દિવસે આ સત્તા ફરીથી શિવજી ભગવાન વિષ્ણુને સોંપે છે.

હરિ-હર મિલનની પરંપરા શું છે‌‌સ્કંદ, પદ્મ અને વિષ્ણુધર્મોત્તર પુરાણના જણાવ્યા પ્રમાણે કારતક મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ ભગવાન શિવ અને વિષ્ણુજીનું મિલન કરાવવામાં આવે છે. રાતે બંને દેવતાઓની મહાપૂજા કરવામાં આવે છે. રાત્રિજાગરણ પણ કરવામાં આવે છે. માન્યતા છે કે ચાતુર્માસ પૂર્ણ થવાની સાથે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાથી જાગે છે અને આ મિલન સમયે ભગવાન શિવ સૃષ્ટિનો કારભાર વિષ્ણુજીને સોંપે છે. ભગવાન વિષ્ણુજી વૈકુંઠ લોકમાં રહે છે એટલે આ દિવસને વૈકુંઠ ચૌદશ પણ કહેવામાં આવે છે.

પૂજન અને વ્રત વિધિ

  • આ દિવસે સવારે જલ્દી સ્નાન કરીને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લો.
  • આખો દિવસ કશું જ ખાધા વિના મનમાં ભગવાનના નામનો જાપ કરો.
  • રાતે કમળના ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
  • તે પછી ભગવાન શંકરની પણ પૂજા કરો.
  • પૂજાના મંત્ર‌‌ऊँ शिवकेशवाय नम:‌‌ऊँ हरिहर नमाम्यहं

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow