હનુમાન દાદાને આ ચાર રાશિના જાતકો સૌથી ફેવરિટ, જાણો કઈ રીતે વરસાવે છે વિશેષ કૃપા

હનુમાન દાદાને આ ચાર રાશિના જાતકો સૌથી ફેવરિટ, જાણો કઈ રીતે વરસાવે છે વિશેષ કૃપા

મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે હનુમાનજીની વિધિવત પૂજા કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે હનુમાનજીની કૃપાથી જીવનની દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે.

સાચા મને અને સાચી રીતે એમની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે. આમ તો હનુમાનજી એમના દરેક ભક્તની પરેશાનીને દૂર કરે છે પણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવી કેટલીક રાશિ છે જે બજરંગ બલીને ખૂબ પ્રિય છે. 12 રાશીઓમાંથી 4 રાશિઓ એવી છે જેમના પર બજરંગબલીની વિશેષ કૃપા રહે છે. ચાલો જાણીએ કઈ છે એ રાશિ..

કઈ રાશિ છે હનુમાજીને પ્રિય?

મેષ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિ હનુમાનજીની પ્રિય રાશિઓમાંથી એક છે. બજરંગબલી મેષ રાશિના જાતકો પર પોતાની વિશેષ કૃપા બનાવી રાખે છે. માન્યતાઓ અનુસાર મંગળવારે મેષ રાશિના લોકો એ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી આ રાશિના જાતકોના જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને એમને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.

સિંહ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકોને જીવન પર  હનુમાનજીનો વિશેષ આશીર્વાદ વરસાવે છે. બજરંગબલી તેમના પર દયા-દ્રષ્ટિ રાખે છે. માન્યતાઓ અનુસાર જો આ રાશિના જાતકો મંગળવારે હનુમાનજીની પૂજા કરે છે તો એમને આર્થિક સંકટનો સામનો નથી કરવો પડતો, આ સાથે જ એમના જીવનની બધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

વૃશ્ચિક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિ હનુમાનજીની પ્રિય રાશિઓમાંથી એક છે. આ રાશિના લોકો પર પણ હનુમાનજીની વિશેષ કૃપા બની રહે છે. બજરંગબલીની કૃપાથી આ રાશિના લોકોને તેમના દરેક કામમાં સફળતા મળે છે અને ક્યારેય આર્થિક તંગીનો શિકાર નથી બનતા.

કુંભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકોને જીવન પર  હનુમાનજીનો કૃપા વરસાવે છે. તેમની કૃપાથી કુંભ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળે છે અને કોઈપણ કાર્યમાં કોઈ અડચણ નડતી નથી, આ રાશિના જાતકોનું જીવન સુખ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરેલું રહે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow