બાળકીને ઉઠાવી જનારી બંગડીની જેેમ હથકડી કાઢી ફરાર, ઉદવાડાથી ઝડપાઈ

બાળકીને ઉઠાવી જનારી બંગડીની જેેમ હથકડી કાઢી ફરાર, ઉદવાડાથી ઝડપાઈ

ચાર દિવસ અગાઉ સુરતના રેલવે સ્ટેશનથી છ વર્ષની બાળકીનું અપહરણ કરી કડોદરા લઈ જનારી એક મહિલા પકડાઈ હતી. પોલીસ મથકમાં મહિલા લોકઅપ ન હોવાથી આરોપી રિન્કુદેવી ઉર્ફે પાયલને ચાર દિવસથી હથકડી પહેરાવીને બહાર રખાઇ હતી. સોમવારે સવારે છ વાગ્યે બંગડી કાઢે તેવી જ રીતે હથકડી કાઢી નાંખી બાથરૂમના બહાને ચકમો આપી ભાગી પ્લેટફોર્મ નં-1 ઉપર પહોંચી ગઇ હતી અને બાદમાં ટ્રેક કૂદી પ્લેટફોર્મ નં-2 પર પહોંચી હમસફર એક્સપ્રેસમાં બેસી ઉદવાડા પહોંચી ગઇ હતી. મુંબઇ સુધી પોલીસને એલર્ટ કરી અને સુરત પોલીસની એક ટીમને પણ રવાના કરાઈ હતી.

ઉદવાડા સ્ટેશન નજીક ટીસી દ્વારા મહિલા પાસેથી ટિકિટ માંગી હતી, પરંતુ તેની પાસે ટિકિટ ન મળતા નાગરિક સમજી ઉદવાડા સ્ટેશને ઉતારી દેવાઇ હતી અને પોલીસને જાણ કરાઇ હતી. આ દરમિયાન ત્યાં સુરત પોલીસનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો. તેઓએ રિન્કુદેવીને પકડી લીધી હતી. સોમવારે રિન્કુદેવીના પાંચ દિવસના રિમાન્ડ પુરા થવાના હોય પોલીસે તેને રેલવે કોર્ટમાં રજૂ કરીને ત્યારબાદ લાજપોર જેલમાં મોકલી આપી હતી.

રેલવે પોલીસ મથકમાં મહિલા લોકઅપ જ નથી
સુરત રેલવે પોલીસ મથકમાં મહિલા લોકઅપ નથી. જ્યારે કોઇ મહિલા આરોપી પકડાઇ ત્યારે લોકઅપની બહાર જ રાખવામાં આવે છે અને બાદ તેને લાજપોર જેલ મોકલાય છે, હાલના અપહરણના કેસમાં પણ પાંચ દિવસથી રિન્કુદેવી ઉર્ફે પાયલને લોકઅપની બહાર જ રાખવામાં આવી હતી. શરીરે પાંતળા બાંધાની રિન્કુદેવીએ ખુબ જ સર્તકતાથી હથકડી કાઢી નાંખી હતી.

બાળકીને મુંબઇ વેચવાનું ખૂલ્યું, આરોપી વોન્ટેડ
5 દિવસ પહેલા રિન્કુદેવીએ જે બાળકીનું અપહરણ કર્યું તે બાળકીને મુંબઇમાં વેચી દેવાનો પ્લાન હતો. પાંચ દિવસના રિમાન્ડમાં રિન્કુદેવીએ પોલીસને મુંબઇના યુવકની વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસ મુંબઇ સુધી જઇ આવી હતી, પરંતુ ત્યાંથી પોલીસને તે યુવક મળ્યો ન હતો અને વિલા મોંએ પરત ફરી હતી.જોકે, હાલમાં આ યુવકને શોધવાના ચક્રો ગતિમાન કરાયા છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow