ગુજરાતી રોકાણકારોએ આફ્રિકામાં 60 લાખ ડોલરથી વધુ રોકાણ કર્યું

ગુજરાતી રોકાણકારોએ આફ્રિકામાં 60 લાખ ડોલરથી વધુ રોકાણ કર્યું

ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોમાં આફ્રિકાના દેશોમાં રોકાણ કરવાનું પ્રમાણ વધ્યું છે અને અત્યાર સુધી લગભગ 40 લાખ ડોલરના પ્રોજેક્ટમાં રોકાણની સહમતી દર્શાવાઈ હોવાનું એશિયન આફ્રિકન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ફાઉન્ડેશનના ચેરમેન ડૉ. જી. ડી. સિંઘે જણાવ્યું હતું.

તેઓના કહેવા પ્રમાણે બે દેશોના વિવિધ ઉદ્યોગ સાહસિકો વચ્ચે 70 લાખ ડોલરના આપસી વેપારના કરાર થયા હતા. આ થયેલા કરારમાં 90 ટકા ગુજરાતના સાહસિકો રહ્યા હતા આમ કુલ 60 લાખ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે જેઓ કેન્યા, ધાના, નાઇજેરિયા, યુગાન્ડા, ટાન્ઝેનિયા જેવા દેશોમાં રોકાણમાં વધુ રસ દાખવ્યો છે.

ગુજરાતમાંથી એમએસએમઈ અને એસએમઈ સેક્ટર્સે રોકાણ અંગે વધુ રસ બતાવ્યો છે. ગુજરાત અને ભારતમાંથી આફ્રિકામાં વધતા રોકાણ રસને ધ્યાનમાં લઇને આગામી 2025 સુધીમાં ફાઉન્ડેશન આફ્રિકામાં 35 ચેપ્ટર ઓફિસ શરૂ કરવાનો લંક્ષ્યાક ધરાવે છે, જેની સંખ્યા હાલ ચાર રહી છે. આફ્રિકા 2030 સુધીમાં વૈશ્વિક માનવબળ અને ઉપભોક્તા બજારનો અંદાજે ચોથો ભાગ ધરાવતું હશે તેવો અંદાજ છે જેથી સમગ્ર ખંડ વિશ્વની સરકારો અને કારોબારો માટે અત્યંત સદ્ધર ભાગીદાર બની રહેશે.

ભારત આ ખંડમાં 74 બિલિયન ડૉલરના રોકાણો સાથે ટોચના પાંચ રોકાણકારોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. એએસીસીઆઈ દ્વારા કરવામાં આવેલી પહેલથી બંને ખંડો વચ્ચે સીધા અને ઝડપી કારોબારને સુવિધા મળી રહેશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow