9% દરે વિકસી ભારત 20 વર્ષમાં વિકસિત દેશ બનશે : રંગરાજન

9% દરે વિકસી ભારત 20 વર્ષમાં વિકસિત દેશ બનશે : રંગરાજન

ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર સી. રંગરાજને કહ્યું છે કે જો દેશનો આર્થિક વૃદ્ધિદર 8-9 ટકા રહેશે તો 20 વર્ષમાં ભારતને વિકસિત દેશનો દરજ્જો મળી જશે. તેમણે કહ્યું હતું કે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે આ મજબૂત વિકાસદરને જાળવી રાખવાની જરૂર રહેશે.

રંગરાજને આઇસીએફએઆઇ ફાઉન્ડેશન ફોર હાયર એજ્યુકેશનના દીક્ષાંત સમારોહમાં કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાનું કદ પાંચ લાખ કરોડ ડોલર સુધી લઇ જવાનું મોટું કામ છે. જોકે દેશની પ્રતિ વ્યક્તિની આવક 3472 ડોલર (આશરે 2.86 લાખ રૂપિયા) હશે દેશ મધ્યમ આવકવાળા દેશ તરીકે જ ગણાશે.

રંગરાજને કહ્યું હતું કે ભારતને ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશ બનવામાં વધુ બે વર્ષનો સમય લાગશે. વિકસિત દેશ બનવા માટે ભારતની પ્રતિ વ્યક્તિ આવક ઓછામાં ઓછી 13,205 ડોલર અથવા તો આશરે 11 લાખ રૂપિયા હોવી જોઇએ. આ સિદ્ધિ સુધી પહોંચવા માટે દેશને બે દશકથી વધુ સમય સુધી આઠથી લઇને નવ ટકા સુધીનો મજબૂત વૃદ્ધિદર જાળવવો પડશે.

રંગરાજને કહ્યું હતું કે કુલ ઉત્પાદનના હિસાબથી જોવામાં આવે તો ભારત હાલમાં દુનિયામાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના રેન્કિંગ મુજબ પ્રતિ વ્યક્તિ આવકના મામલે ભારત 197 દેશોમાં 142મા સ્થાને છે. તેમણે નીતિ નિર્માતાઓને અર્થવ્યવસ્થાના વૃદ્ધિદરની ગતિને વધારવા પર ધ્યાન આપવા કહ્યું છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow