લીલી ભાજી હેલ્થ માટે ફાયદાકારક, બીમારીઓથી રાહત આપે અને રોગપ્રતિકારક શક્તિ વધારે

લીલી ભાજી હેલ્થ માટે ફાયદાકારક, બીમારીઓથી રાહત આપે અને રોગપ્રતિકારક શક્તિ વધારે

શિયાળો બરાબર જામી રહ્યો છે. આ વચ્ચે જ્યાં જોઈએ ત્યાં લીલા શાકભાજીઓની લારીઓ જોવા મળે છે.  

તેમાં પણ લીલી ભાજીઓ જોઈને મન લલચાઈ જાય છે. પોષક તત્ત્વોથી ભરપૂર લીલી ભાજી હેલ્થ માટે પણ ફાયદાકારક હોય છે. લીલી ભાજીઓમાં ઘણા પ્રકારના ઘટકો જોવા મળે છે,  

તેથી શરીર અને મન બંને માટે ફાયદાકારક છે. જો તમને અપચો, ત્વચાની સમસ્યાઓ અને અન્ય મોસમી રોગોથી રાહત મેળવવા માગતા હોવ તો તમારા રૂટિનમાં લીલા શાકભાજીને સામેલ કરી શકો છો.  

લીલી ભાજીને આમ તો પોષક તત્ત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે. લીલી ભાજીમાં ફાઈબર, વિટામિન્સ, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્ત્વો હોય છે.  

ડાયટમાં લીલોતરીનો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ન્યુટ્રિશનિસ્ટ અમર દેવ યાદવ જણાવી રહ્યા છે કે, લીલા શાકભાજી બનાવવાની સાચી રીત.  

લીલા ભાજીને ધોઈને કાપો કે કાપીને ધોવો, જાણો સાચી રીત
જ્યારે તમે ભાજી ખરીદો છે ત્યારે પહેલા મૂળથી કાપી લો. આ બાદ ભાજીને 4 થી 5 વાર પાણી બદલીને સારી રીતે ધોઈ લો અને થોડીવાર માટે આ રીતે રાખો.  

જ્યારે લીલોતરીમાંથી પાણી નીકળી જાય, ત્યારે તેને છરી વડે બારીક સમારી લો. ભાજીને સમાર્યા બાદ ક્યારેય ધોશો નહીં. જો ધોવામાં આવે તો ભાજીમાં રહેલા પોષક તત્ત્વો પાણીની સાથે દૂર થઈ જાય છે.  

ઘણી વખત લોકો સમયના અભાવે બજારમાંથી જ ભાજીને સમારીને લાવે છે જેથી કોઈ સમસ્યા ન થાય. પરંતુ આવી ભાજી માત્ર સ્વાદ માટે જ ખાઈ શકાય છે, તેમાં પોષક તત્ત્વોનું પ્રમાણ મોટા ભાગે ઘટી જાય છે.  

આ રહી ભાજી ખાવાની સાચી રીત
ભાજીને શાકની જેમ પણ ખાઈ શકાય છે. પરંતુ જો ઉકાળીને ખાવામાં આવે તો વધારે ફાયદો મળે છે. પરંતુ પાલકને બહુ ન ઉકાળો નહીં તો પોષક તત્ત્વોનો બગાડ થશે. મેથીના ઉકાળીને ખાવાથી આંખની સમસ્યામાં રાહત મળે છે. તેમજ તમને અનેક બીમારીઓ થતી નથી.  

ભાજી કેટલા પ્રમાણમાં ખાવી જોઈએ
1/2 કપ બાફેલી ગ્રીન્સ અથવા 1 કપ ગ્રીન્સ એક દિવસમાં ખાઈ શકાય છે. પરંતુ ડાયેટિશિયનની સલાહ જરૂર લો.

ભાજી ખરીદતા સમયે આ વાતનું ધ્યાન રાખો

  • ભાજી ખરીદતી વખતે ધ્યાન રાખો કે પાલકનો રંગ કુદરતી રીતે લીલો હોવો જોઈએ.
  • જો લીલોતરીમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને ખરીદશો નહીં.
  • વધુ પડતી ધૂળવાળી ભાજી ન ખરીદો, એવી ભાજી ખરીદો જે મૂળમાંથી કાઢી નાખવામાં આવી હોય.
  • હંમેશા જેના પાંદડા તાજા દેખાય એવી જ ભાજી ખરીદો.
  • ગ્રીન્સને લાંબા સમય સુધી કેવી રીતે સાચવી શકાય
  • બંડલને ખોલો અને પછી તેને એરટાઈટ બેગમાં મૂકો અને રેફ્રિજરેટરમાં 3 થી 4 દિવસ માટે સ્ટોર કરો. તમે રસોડામાં ટોપલીમાં ગ્રીન્સ પણ ખુલ્લી રાખી શકો છો. તેની તાજગી જાળવી રાખવા માટે તેને ભીના કપડામાં લપેટીને પણ રાખી શકાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow