આજે હરીયાળી ત્રીજ

આજે હરીયાળી ત્રીજ

આજે (19 ઓગસ્ટ)એ હરિયાળી ત્રીજ છે. આ વર્ષના મહત્ત્વના ઉપવાસ પૈકી એક માનવામાં આવે છે. પરિણીત મહિલાઓ તેમના પતિના સારા સ્વાસ્થ્ય અને સારા સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે, જ્યારે અપરિણીત છોકરીઓ પોતાને માટે યોગ્ય પતિ મેળવવા માટે આ વ્રત રાખે છે. આજે દેવી પાર્વતીની પૂજા કરવાની હોય છે. હરિયાળી ત્રીજે પતિ-પત્ની સાથે મળીને શિવ-પાર્વતીની પૂજા કરે તો દામ્પત્ય જીવનમાં પ્રેમની સાથે-સાથે સુખ-શાંતિ રહે છે, એવી માન્યતાઓ પણ છે.

ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, શિવ-પાર્વતી પરિવારના દેવતા છે. જે લોકો તેમની પૂજા કરે છે તેમના ઘરમાં સુખ, શાંતિ અને પ્રેમ રહે છે. હરિયાળી ત્રીજ ખાસ કરીને મહિલાઓ દ્વારા તેમના જીવનસાથીના સુખી જીવનની ઈચ્છા સાથે ઉજવવામાં આવે છે. આ વ્રત પાણી રહિત રહીને એટલે કે અન્ન-જળનો ત્યાગ કરીને પણ કરી શકાય છે. જો આ દિવસે પતિ-પત્ની સાથે મળીને શિવ-પાર્વતીનો અભિષેક કરે તો તેમની મનોકામનાઓ જલ્દી પૂરી થઈ શકે છે.

એકસાથે પૂજા કરવાથી દાંપત્ય જીવનમાં સુમેળ જળવાઈ રહે છે
પં. શર્મા કહે છે, 'લગ્ન પછી પતિ-પત્નીએ સાથે મળીને ધર્મ-કર્મ, તીર્થયાત્રા-દર્શન જેવા શુભ કાર્ય કરવા જોઈએ. આ પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. જ્યારે એવું થાય છે, તે સમયે વર-કન્યા એકબીજાને વચન આપે છે, આ વચનોમાં, એક વચન એ પણ રહે છે કે લગ્ન પછી, વર-કન્યા દરેક ધાર્મિક કાર્ય અને તીર્થયાત્રા એકસાથે કરશે. વિધિવત પૂજામાં લાંબો સમય બેસી રહેવું પડે છે, અનેક પ્રકારની પૂજા હોય છે, પતિ-પત્ની આ બધી પૂજાઓ એકબીજા સાથે સંકલન કરીને પૂર્ણ કરે છે. પૂજા દરમિયાન કરવામાં આવેલ સમન્વયની અસર દાંપત્ય જીવનમાં પણ જોવા મળે છે. એટલા માટે પતિ-પત્નીને સાથે મળીને પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે.'

બીજી માન્યતા અનુસાર જો પતિ-પત્ની એકલા પૂજા કરે તો તેમને પૂજાનું પૂર્ણ પુણ્ય મળતું નથી. આ માન્યતાના કારણે પણ પતિ-પત્નીએ સાથે મળીને પૂજા કરવી જોઈએ.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow