સરકારે ઇમરાન પર બોમ્બ હુમલાનું એલર્ટ જારી કર્યું, પંજાબના એલિટ કમાન્ડો સુરક્ષા આપશે

સરકારે ઇમરાન પર બોમ્બ હુમલાનું એલર્ટ જારી કર્યું, પંજાબના એલિટ કમાન્ડો સુરક્ષા આપશે

કેટલાક દિવસ પહેલાં હુમલામાં ઇજાગ્રસ્ત પાકિસ્તાનના વિપક્ષ નેતા ઇમરાન ખાન ફરી એકવાર શાહબાઝ શરીફ સરકાર વિરુદ્વ હલ્લાબોલ કરવા જઇ રહ્યા છે. શાહબાઝ શરીફ સરકારનું રાજીનામું લઇને ફરીથી ચૂંટણીની માંગને લઇને ઇમરાન ખાન રાવલપિંડીમાં રેલી કરશે. સુરક્ષા એજન્સીઓના બોમ્બ હુમલાના એલર્ટને ધ્યાનમાં રાખતા ઇમરાનની સુરક્ષામાં પંજાબ પ્રાંતમાં તેમની પાર્ટી તહરીકે ઇન્સાફની સરકારે એલીટ કમાન્ડો તહેનાત કર્યા છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની પોલીસની વિશેષ ટુકડી અને ઇમરાનના ખાનગી ગાર્ડ્સ પણ સુરક્ષા કરી રહ્યા છે. ડ્રોન કેમેરા અને ઇમરાનના સનરુફ વ્હીકલ પર પ્રતિબંધ છે. હેલિકોપ્ટરથી નજર રખાશે. ઇમારતમાં સ્નાઇપરો તહેનાત કરાશે. સરકારે ઇસ્લામાબાદના દરેક રસ્તાઓ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. ઇંગ્લેન્ડની સાથે મેચને ધ્યાનમાં રાખતા વહીવટીતંત્ર દ્વારા રેલીને લઇને કેટલીક શરતો પણ રખાઇ છે.

રાજીનામાનું દબાણ વધારવા ઇમરાન ફરી રેલી કરશે
પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક નજમ સેઠીએ કહ્યું કે ઇમરાનનો હેતુ શાહબાઝ સરકાર પર રાજીનામાનું દબાણ વધારવાનો છે. સૈન્યમાં બદલાવ બાદ માર્ચમાં શાંતિપૂર્ણ રીતે ખતમ થવાની સંભાવના છે. નિવૃત્ત સૈન્ય પ્રમુખ કમર જાવેદ બાજવાએ પણ કહ્યું કે સૈન્ય રાજકીય મામલામાં દખલગીરી નહીં કરે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow