જામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી તૈયાર છતાં ખાલીખમ, મનપાનો લૂલો બચાવ, વિપક્ષ આ દાવા સામે પ્રશ્નાર્થ

જામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી તૈયાર છતાં ખાલીખમ, મનપાનો લૂલો બચાવ, વિપક્ષ આ દાવા સામે પ્રશ્નાર્થ

જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી જગ્યા પર બનાવેલા 156 આવાસ બે વર્ષથી ખાલી પડયા છે. મહાનગરપાલિકા દ્વારા આવાસની ખરીદી કરવા માટે અરજીઓ માંગવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાના આવાસ ખરીદીમાં લોકો ઉત્સાહ દર્શાવતા નથી. JMC દ્વારા વારંવાર અવસોનું વેચાણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે પરંતુ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. અરજદારો વારંવાર ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી રહ્યા છે. બીજી તરફ મનપાના અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મયુરનગર મેઇન રોડ વામ્બે આવાસ યોજના બાજુમાં, એમ.પી.શાહ ઉધોગનગર પાછળ, હાપા પેટ્રોલ પંપ પાછળ વન બેડરૂમ હોલ કીચન અને ટુ બેડરૂમ હોલ કીચનના ફલેટ બનાવામાં આવ્યા છે. આ યોજના બે વર્ષ કરતા વધુ સમયથી પૂર્ણ થઇ ગઇ છે. આમ છતાં ચાર આવાસ યોજનામાં નવાનકોર 156 ફલેટ ખાલી પડયા છે.

જામનગર મનપા દ્વારા ખાલી પડેલા ફલેટ માટે છાશવારે અરજીઓ મંગાવામાં આવે છે. પરંતુ અરજદારો ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી નાખતા હોય છે. આવાસ ખાલી પડયા હોવા છતાં મહાપાલિકાના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. ખરા અર્થમાં આવાસના સ્થળ લોકોને પસંદ ન હોવાથી આ સમસ્યા સર્જાઇ છે. ત્યારે વધુ એક વખત મનપા દ્વારા આવાસ માટે અરજીઓ મંગાવામાં આવી છે.

જામનગરના મયુરનગર મેઇન રોડ પર 52 આવાસ ખાલી પાડયા છે તો ઉદ્યોગનગર પાછળ 70 આવાસ ખાલી  પાડયા છે. વધુમાં હાપા પેટ્રોલ પંપ પાછળ 24 આવાસ સહિત કુલ ખાલી 156 આવાસનું કોઈ લેનાર ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

  • કેમ કોઈ નાગરિક આવાસમાં રહેવા નથી માંગતો?
  • દેખાવમાં સારી ઈમારતો હોવા છતાં ખાલી કેમ?
  • આવાસમાં દરેક પ્રકારની સુવિધા હોવા છતાં ફ્લેટ ખાલી કેમ?
  • આવાસ યોજનામાં શું તંત્રની બેદરકારી જવાબદાર છે?
  • કેમ તંત્રની અનેક પહેલ છતાં આવાસ ખાલી છે?
  • શું નાગરિકોને આવાસ પસંદ નથી?

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow