જામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી તૈયાર છતાં ખાલીખમ, મનપાનો લૂલો બચાવ, વિપક્ષ આ દાવા સામે પ્રશ્નાર્થ

જામનગરમાં સરકારી આવાસ બે વર્ષથી તૈયાર છતાં ખાલીખમ, મનપાનો લૂલો બચાવ, વિપક્ષ આ દાવા સામે પ્રશ્નાર્થ

જામનગર મહાનગરપાલિકા દ્વારા જુદી-જુદી જગ્યા પર બનાવેલા 156 આવાસ બે વર્ષથી ખાલી પડયા છે. મહાનગરપાલિકા દ્વારા આવાસની ખરીદી કરવા માટે અરજીઓ માંગવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાના આવાસ ખરીદીમાં લોકો ઉત્સાહ દર્શાવતા નથી. JMC દ્વારા વારંવાર અવસોનું વેચાણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે પરંતુ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. અરજદારો વારંવાર ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી રહ્યા છે. બીજી તરફ મનપાના અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મયુરનગર મેઇન રોડ વામ્બે આવાસ યોજના બાજુમાં, એમ.પી.શાહ ઉધોગનગર પાછળ, હાપા પેટ્રોલ પંપ પાછળ વન બેડરૂમ હોલ કીચન અને ટુ બેડરૂમ હોલ કીચનના ફલેટ બનાવામાં આવ્યા છે. આ યોજના બે વર્ષ કરતા વધુ સમયથી પૂર્ણ થઇ ગઇ છે. આમ છતાં ચાર આવાસ યોજનામાં નવાનકોર 156 ફલેટ ખાલી પડયા છે.

જામનગર મનપા દ્વારા ખાલી પડેલા ફલેટ માટે છાશવારે અરજીઓ મંગાવામાં આવે છે. પરંતુ અરજદારો ફોર્મ ભર્યા બાદ કેન્સલ કરાવી નાખતા હોય છે. આવાસ ખાલી પડયા હોવા છતાં મહાપાલિકાના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. ખરા અર્થમાં આવાસના સ્થળ લોકોને પસંદ ન હોવાથી આ સમસ્યા સર્જાઇ છે. ત્યારે વધુ એક વખત મનપા દ્વારા આવાસ માટે અરજીઓ મંગાવામાં આવી છે.

જામનગરના મયુરનગર મેઇન રોડ પર 52 આવાસ ખાલી પાડયા છે તો ઉદ્યોગનગર પાછળ 70 આવાસ ખાલી  પાડયા છે. વધુમાં હાપા પેટ્રોલ પંપ પાછળ 24 આવાસ સહિત કુલ ખાલી 156 આવાસનું કોઈ લેનાર ન હોય તેવો ઘાટ સર્જાયો છે.

  • કેમ કોઈ નાગરિક આવાસમાં રહેવા નથી માંગતો?
  • દેખાવમાં સારી ઈમારતો હોવા છતાં ખાલી કેમ?
  • આવાસમાં દરેક પ્રકારની સુવિધા હોવા છતાં ફ્લેટ ખાલી કેમ?
  • આવાસ યોજનામાં શું તંત્રની બેદરકારી જવાબદાર છે?
  • કેમ તંત્રની અનેક પહેલ છતાં આવાસ ખાલી છે?
  • શું નાગરિકોને આવાસ પસંદ નથી?

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow