સરકારની રાજકોષીય ખાધ સમગ્ર વર્ષના લક્ષ્યના 11.8 ટકા: CGA

સરકારની રાજકોષીય ખાધ સમગ્ર વર્ષના લક્ષ્યના 11.8 ટકા: CGA

કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ મેના અંતે વર્ષ 2023-24ના બજેટ અંદાજના 11.8% નોંધાઇ છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2022-23 દરમિયાન રાજકોષીય ખાધ 12.3% હતી. રાજકોષીય ખાધનો અર્થ સરકારની આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત છે. મે 2023ના અંતે ખાધ રૂ.2,10,287 કરોડ હતી તેવું કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (CGA)ના ડેટામાં જણાવવામાં આવ્યું છે. વર્તમાન બજેટમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 5.9% રાખ્યો છે.

વર્ષ 2022-23માં 6.71%ના અંદાજ સામે જીડીપીના 6.4% ખાધ જોવા મળી હતી. 2023-24ના પ્રથમ બે મહિનાના સરકારની આવક-જાવકના ડેટા રજૂ કરતા CGAએ જણાવ્યું હતું કે ટેક્સ આવક બજેટ અંદાજની સામે 11.9 ટકા એટલે કે રૂ.2.78 લાખ કરોડ રહી હતી. જ્યારે કુલ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવેલા અંદાજના 13.9% એટલે કે રૂ.6.25 લાખ કરોડ રહ્યો હતો.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow