Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા

Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા

કોરોનાની રસી કોવેક્સિન વિશે ફેલાતી અફવાઓ પર ભારત સરકારે પૂર્ણ વિરામ મૂક્યું છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારત બાયોટેકની રસી કોઈપણ રાજકીય દબાણ હેઠળ મંજૂર કરવામાં આવી નથી. મીડિયા પર આ અંગે ચાલી રહેલી માહિતી ખોટી છે, તેઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. કોવેક્સિનને મંજૂરી આપતા પહેલા તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે.

રોગચાળા દરમિયાન પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી: ભારત બાયોટેક

‌‌​​​​​​​હવે ભારત બાયોટેકે પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો અને જૂથોએ કોવેક્સિન વિશે ખોટી માહિતી ફેલાવી છે, અમે તેની નિંદા કરીએ છીએ. ફક્ત તે જ લોકો આ કરી રહ્યા છે, જેમને રસી અથવા વેક્સિન વિજ્ઞાન વિશે કોઈ જ્ઞાન નથી. આ લોકોએ રોગચાળા દરમિયાન પણ ખોટા સમાચાર ફેલાવવામાં મદદ કરી હતી. કોવેક્સિનના ઉત્પાદનને લઈને કંપની પર કોઈ દબાણ નહોતું.

કેટલીક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે રાજકીય દબાણને કારણે સ્વદેશી કોવેક્સિનને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા વિના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. તેની સાથે કંપની પર વેક્સિનનું ઉત્પાદન વધારવાનું દબાણ હતું. જેમાં નિયમોની પણ અવગણના કરવામાં આવી હતી. હવે ભારત સરકારે આ રિપોર્ટને અફવા ગણાવી છે.

‌3 જાન્યુઆરી 2021ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતની સ્વદેશી વેક્સિન ભારત બાયોટેકની Covaxinને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં દેશભરમાં 200 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

‌‌

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow