Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા

Covaxinને લઈ સરકારની સ્પષ્ટતા

કોરોનાની રસી કોવેક્સિન વિશે ફેલાતી અફવાઓ પર ભારત સરકારે પૂર્ણ વિરામ મૂક્યું છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે ભારત બાયોટેકની રસી કોઈપણ રાજકીય દબાણ હેઠળ મંજૂર કરવામાં આવી નથી. મીડિયા પર આ અંગે ચાલી રહેલી માહિતી ખોટી છે, તેઓ જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. કોવેક્સિનને મંજૂરી આપતા પહેલા તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું છે.

રોગચાળા દરમિયાન પણ ખોટી માહિતી ફેલાવવામાં આવી હતી: ભારત બાયોટેક

‌‌​​​​​​​હવે ભારત બાયોટેકે પણ આ મુદ્દે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો અને જૂથોએ કોવેક્સિન વિશે ખોટી માહિતી ફેલાવી છે, અમે તેની નિંદા કરીએ છીએ. ફક્ત તે જ લોકો આ કરી રહ્યા છે, જેમને રસી અથવા વેક્સિન વિજ્ઞાન વિશે કોઈ જ્ઞાન નથી. આ લોકોએ રોગચાળા દરમિયાન પણ ખોટા સમાચાર ફેલાવવામાં મદદ કરી હતી. કોવેક્સિનના ઉત્પાદનને લઈને કંપની પર કોઈ દબાણ નહોતું.

કેટલીક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે રાજકીય દબાણને કારણે સ્વદેશી કોવેક્સિનને જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા વિના ઉપયોગની મંજૂરી આપી દીધી હતી. તેની સાથે કંપની પર વેક્સિનનું ઉત્પાદન વધારવાનું દબાણ હતું. જેમાં નિયમોની પણ અવગણના કરવામાં આવી હતી. હવે ભારત સરકારે આ રિપોર્ટને અફવા ગણાવી છે.

‌3 જાન્યુઆરી 2021ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારતની સ્વદેશી વેક્સિન ભારત બાયોટેકની Covaxinને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં દેશભરમાં 200 કરોડથી વધુ કોરોના રસી આપવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

‌‌

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow