રાજકોટમાં પૂર્વ CM રૂપાણી સભામાં સ્થાન ગ્રહણ કરવા જતાં માર્યુ ગોથું!

રાજકોટમાં પૂર્વ CM રૂપાણી સભામાં સ્થાન ગ્રહણ કરવા જતાં માર્યુ ગોથું!

રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે આજે ભાજપના ઉમેદવારો સભા સંબોધન કરી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ઉમેદવારીપત્રક નોંધાવે એ પહેલાં સભા ખાતે ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત નેતાઓ-આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેજ પર આવ્યા બાદ બેસવા સમયે ફસકી ગયા હતા અને પડતાં પડતાં રહી ગયા હતા.

નોંધનીય છે કે ભાજપે પ્રથમ વખત ચારેય બેઠક પર નવા ચહેરાની પસંદગી કરી હતી. વિધાનસભા 68મા ઉદય કાનગડ, 69માં દર્શિતાબેન શાહ, 70મા રમેશ ટીલાળા અને 71માં ભાનુબેન બાબરિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સપ્રક્રિયા હાથ ધરી ત્યારે ચારેય બેઠક માટે 50થી વધુ લોકોએ દાવેદારી કરી હતી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધી રીતે દાવેદારી કરી નહોતી, પરંતુ તેમના નિકટના ટેકેદારોએ રૂપાણીને ટિકિટ મળે એવી આગ્રહપૂર્વકની રજૂઆત કરી હતી, રૂપાણી નહીં તો નીતિન ભારદ્વાજ માટે પણ ભારે લોબિંગ થયું હતું.

Read more

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

મોદી રાજ્યસભામાં ન પહોંચ્યા, ખડગેએ કહ્યું- આ ગૃહનું અપમાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ખાસ ચર્ચામાં લગભગ દોઢ કલાક ભાષણ આપ્યું. સાંજે 7 વાગ્યે જ્યારે તે

By Gujaratnow