ગોંડલ યાર્ડ ધાણાથી ઊભરાયું

ગોંડલ યાર્ડ ધાણાથી ઊભરાયું

સૌરાષ્ટ્ર ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સોમવારે ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. ધાણા લેવાશે તેવી જાહેરાત થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો સવારથી યાર્ડની બહાર પહોંચી ગયા હતા અને વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી.

યાર્ડની બહાર બંને બાજુ 3 થી 4 કિલોમીટર લાંબી અને અંદાજે 1400થી પણ વધુ વાહનોની લાંબી કતાર લાગી હતી. યાર્ડમાં અંદાજે સવા લાખથી પણ વધુ ગુણી ધાણાની આવક થવા પામી હતી. હરરાજીમાં ખેડૂતોને 20 કિલોના ભાવ 1000 થી 1650 બોલાયા હતા. બીજી તરફ જ્યાં સુધી યાર્ડ દ્વારા બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે.

યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ખેડૂતોને ગોંડલ યાર્ડ પર વિશ્વાસ છે, અને સત્તાધીશો બહારથી આવતા ખેડૂતો હેરાન ન થાય તેની પૂરતી કાળજી રાખે છે. ધાણાની ગત વર્ષમાં 10 હજાર ગુણીનો નિકાલ થયો હતો. જે આ વર્ષે શરૂઆતમાંથી જ દરરોજની 35 થી 40 હજાર ગુણીનો નિકાલ કરવામાં આવે છે. ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે છે.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow