દુષ્કર્મની ફરિયાદ કરનારી યુવતી જ્યુબિલી સર્કલથી ગુમ થઇ અને 23 દિવસે તેનો મૃતદેહ મળતાં ચકચાર

દુષ્કર્મની ફરિયાદ કરનારી યુવતી જ્યુબિલી સર્કલથી ગુમ થઇ અને 23 દિવસે તેનો મૃતદેહ મળતાં ચકચાર

નખત્રાણાના સુખપર(રોહા)ની 22 વર્ષીય યુવતી ભુજના જયુબિલી સર્કલથી ગુમ થયેલી હતી.23 દિવસ બાદ ગુમ થયેલી યુવતીની કોહવાયેલી લાશ ભુજ-મુન્દ્રા રોડ પરથી બાવળની ઝાડીઓમાં મળી આવી છે.માધાપરમા માસાને ઘરે આવેલી યુવતી ગુમ થતા ભુજ એ ડીવીઝન પોલીસ મથકે ગુમનોધ લખાવી હતી.યુવતીની લાશ મળી આવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ભુજ-મુન્દ્રા રોડ ઉપર લક્કીવાળી ચાડી પાસે બાવળોની ઝાડીઓમાં નખત્રાણાના સુખપર ગામની 22 વર્ષીય શાન્તાબેન હરેશભાઈ કોલીની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.22 દિવસ અગાઉ માધાપર ખાતે રહેતા માસા અરવિંદ કોલીના ઘરે યુવતી આવી હતી.

ભેદી સંજોગોમાં એકાએક યુવતી ગુમ થઇ ગઈ
સાંજે સુખપર જવા માટે યુવતીને ભુજના જયુબિલી ગ્રાઉન્ડ પર તેના માસા મુકવા આવ્યા હતા.એ દરમિયાન ભેદી સંજોગોમાં એકાએક યુવતી ગુમ થઇ ગઈ હતી.જેના પગલે ભુજ એ ડીવીઝન પોલીસ મથકે યુવતીની ગુમનોધ લખાવી હતી.જેના ત્રણ સપ્તાહ બાદ યુવતીની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

એફએસએલ અને ડોગસ્કોડની ટીમે તપાસ હાથ ધરી
યુવતીની કોહવાયેલી લાશ મળી આવતા તેના પિતા હરેશભાઈ કોલીએ દીકરીનું મોત કેવી રીતે થયું તે અંગે પોસ્ટમોર્ટમ કરી તપાસ કરવા ભુજ એ ડીવીઝન પોલીસ પાસે માંગ કરી છે.બનાવ અંગે એ ડીવીઝન પીઆઈ આર.આઈ.સોલંકીએ જણાવ્યું કે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી છે.લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હોવાથી એફએસએલ અને ડોગસ્કોડની ટીમે પણ તપાસ હાથ ધરી છે.

અગાઉ યુવતીએ નખત્રાણા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
મરણજનાર યુવતી શાન્તાબેન કોલીએ અગાઉ નખત્રાણા પોલીસ મથકે ભારાસર ગામના જગદીશ ધનજી કોલી વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોધાવી હતી.ત્યારબાદ ભારાસરના યુવકને સમાધાન કરવા માધાપર બોલાવ્યો હતો.જ્યાં યુવકને કેફી દ્રવ્ય પીવડાવી માર મારી ગંભીર રીતે ઘાયલ કરી હરીપર નજીક બેહોશ હાલતમાં ફેકી દેવામાં આવ્યો હતો.જેને સારવાર માટે 108 દ્વારા ભુજની જી.કે જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન યુવકના બન્ને હાથ કાપવા પડ્યા હતા.જે અંગે યુવકે મરણજનાર યુવતી શાન્તાબેન વિરુધ્ધ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.સમગ્ર પ્રકરણ દરમિયાન મરણજનાર યુવતી શાન્તાના માસાએ અને ભારાસરના યુવક જગદીશની પત્નીએ ઝેરી દવા પી લીધાનો બનાવ પણ બન્યો હતો.આમ અનેક તાણાવાણા સાથે આ બનાવ ભારે રહસ્યમય બની ગયો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow