શિયાણીનગરમાં ફાંસો ખાઇ તરુણીનો આપઘાત

શિયાણીનગરમાં ફાંસો ખાઇ તરુણીનો આપઘાત

શિયાણીનગરમાં રહેતી ખુશી રિઝવાનભાઇ આરબે (ઉ.વ.14) પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ખુશી બે ભાઇમાં મોટી હતી, તેણે સાતમાં ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો, તેના પિતા રિક્ષા ચલાવે છે, માતા-પિતા બજારમાં ગયા હતા અને બંને ભાઇ શેરીમાં રમવા ગયા હતા ત્યારે ઘરમાં એકલી રહેલી ખુશીએ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવથી આરબ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. અન્ય એક બનાવમાં શાપરના પારડીમાં રહેતા પિન્ટુબેન સાગરભાઇ સોલંકી (ઉ.વ.28)એ પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ પિયર ધરાવતા પિન્ટુબેનના લગ્ન બાર વર્ષ પૂર્વે થયા હતા અને તેને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે, પતિ કારખાનામાં નોકરી કરે છે, પતિ સાથે કલેશ થતો હોય પિન્ટુબેને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow