ઘરે ઘરે લોકો થઈ રહ્યા છે આ નવા વાયરલ ઈન્ફેક્શનના શિકાર

ઘરે ઘરે લોકો થઈ રહ્યા છે આ નવા વાયરલ ઈન્ફેક્શનના શિકાર

હાલ ઘર ઘરમાં કોલ્ડ અને કફના દર્દીઓ છે. લોકોને ખાંસી મટવાનું નામ નથી લઈ રહી. કફ સિરપ અને નાસ લેવાથી પણ લોકોને રાહત નથી મળી રહી. છેલ્લા થોડા દિવસોમાં આ લક્ષણોથી ઝઝુમી રહેલા લોકોની ઘણી ખબરો સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો શરદી-ખાંસી વાળા ઈન્ફેક્શનની વાત કરી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે એવી ખાંસી આવી રહી છે જે મટવાનું નામ નથી લઈ રહી. ICMRએ પણ આ નવા ઈન્ફેક્શનને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ કોલ્ડ કફથી બચવા માટે કોવિડ વાળી સાવધાની રાખો.

વાતાવરણમાં ફેરફારથી મુશ્કેલી

ડોક્ટર્સનું કહેવું છે કે વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી દિલ્હીની હોસ્પિટલોમાં વાયરલ ઈન્ફેક્શનના 30 ટકા દર્દી વધ્યા છે.

આ વાયરલ સામાન્ય નથી. તેના કારણે દર્દીઓમાં ગળામાં દુખાવો, ખીચખીચ, ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી, શરદી અને તાવની ફરિયાદ જોવા મળી રહી છે. તેના દર્દીઓને સાજા થવામાં 30 દિવસનો સમય લાગી રહ્યો છે.

ડૉક્ટરોને પણ થઈ રહ્યું ઈન્ફેક્શન

ડૉક્ટરોએ સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના સંસ્થાપક સદસ્ય ડૉ. મનીષ ઝાંગડાને કહ્યું કે તેમના સર્કલમાં લભગ 30 ટકા ડોક્ટર તેના લપેટામાં આવી ગયા છે. તે પોતે છેલ્લા 20 દિવસથી બિમાર છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે.

કેસ સ્ટડી 1

સ્વર્ણિમનું કહેવું છે કે હું 10 દિવસથી ખાંસી અને કફથી પીડિત છું. ડૉક્ટર પાસેથી દવા લીધી. એન્ટીબાયોટિક પણ લીધી પરંતુ તેમ છતાં અત્યાર સુધી ખાસી અને શરદી મટ્યા નથી. આ ખુબ જ અલગ છે.

શું કહે છે એક્સપર્ટ?

એક્સપર્ટ્સ અનુસાર હાલ આવા દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. દર્દી તાવ, ખાંસી, ગળુ ખરાબ થવું જેવી ફરિયાદ લઈને આવી રહ્યા છે. તેનું કારણ વાતાવરણમાં અચાનક ફેરફાર, કોવિડ બાદ ઘટતી રોકપ્રતિકારક ક્ષમતા અને પ્રદૂષણ છે.

એવામાં દર્દી સૌથી વધારે મહાનગરોમાં જ છે. તેમાંથી અમુક સ્વાઈન ફ્લૂની ફરિયાદ છે. ખાસ કરીને વૃદ્ધો અને કમજોર લોકોને બાકી લોકો કરતા વધારે સામાન્ય કોલ્ડ કફ છે. તેને સ્વાઈન ફ્લૂ ન સમજો. સાવધાની માટે બહાર જતી વખતે માસ્ક લગાવો.

આ સવધાની રાખો

લક્ષણ દેખાવવા પર પોતાને આઈસોલેટ કરો

વારંવાર હાથ ધોવો

ભીડમાં માસ્ક પહેરો

વૃદ્ધ અને બાળકોનું ધ્યાન રાખો

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow