ઘણીવાર લોકો કહેતા જ્વેલિનમાં જવાનો શું ફાયદો : નીરજ ચોપરા

ઘણીવાર લોકો કહેતા જ્વેલિનમાં જવાનો શું ફાયદો : નીરજ ચોપરા

36મી નેશનલ ગેમ્સનું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઉદ્ધાટન સમારોહ થવાનો છે ત્યારે તેના આગલા દિવસે સંસ્કારધામ ખાતે પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ કોન્ક્લેવ યોજાયો. આ કોન્ક્લેવમાં ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપરા, પી.વી. સિંધુ, ગગન નારંગ, વીવીએસ લક્ષ્મણ, અંજુ બોબી જ્યોર્જ સહિતના જાણીતા ખેલાડીઓ અને રમત-ગમત નિષ્ણાંત જોડાયા હતા.

નીરજ ચોપરાએ આ સમયે કહ્યું કે,‘હું જ્યારે રમતો ત્યારે ઘણા લોકો કહેતા કે તું જ્વેલિન થ્રોમાં શા માટે જાય છે, તેનો શું ફાયદો છે. ત્યારે લોકોમાં આ રમત અંગે ઓછી જાગૃકતા હતી પરંતુ હું પોતાની પર વિશ્વાસમાં રાખી આગળ વધ્યો.’ નીરજના ઓલિમ્પિક મેડલ બાદ દેશમાં મોડી રાતે કે વહેલી સવારે તેની રમત જોવા જાગે તે અંગે તેણે કહ્યું કે,‘હું વિદેશમાં રમતો હોવ ત્યારે ભારતમાં અલગ સમય રહે છે. પરંતુ આનંદ છે કે લોકો મારી રમત જોવા વહેલી સવારે કે મોડી રાતે જાગે છે.

આ અંગે જાણીને ઘણો આનંદ છે, લોકો રમત પ્રત્યે જાગૃક થઈ રહ્યાં છે.’ નીરજે 90 મીટરના લક્ષ્યાંક વિશે કહ્યું કે-‘મારો 90 મીટર સુધી પહોંચવાનો લક્ષ્યાંક 2018થી છે. હું સતત સારું પ્રદર્શન કરવા માગું છું. મને આનંદ છે કે આમ કરી રહ્યો છું.’

શૂટર ગગન નારંગે કહ્યું કે,‘એકસમય હતો કે લોકો ભારતીય ખેલાડીઓને જોતા પણ નહોતા. તે પછી સમય બદલાયો અને લોકો જોતા કે ગગન છે, અભિનવ છે એટલે ગોલ્ડ તો ગયા. એ દેશમાં આવેલ પરિવર્તન દેખાડે છે.’

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow