જર્મનીમાં પરિણીતોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની તૈયારી

જર્મનીમાં પરિણીતોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની તૈયારી

જર્મનીમાં પરિણીત લોકોને મળતી ટેક્સ છૂટ બંધ કરવાની સરકારે તૈયારી કરી લીધી છે. ચાન્સેલર ઓલાફ શુલ્ઝની આગેવાની હેઠળની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (એસપીડી) ગઠબંધન સરકાર દ્વારા આ સંબંધમાં એક પ્રસ્તાવ પણ તૈયાર કરાયો છે. લગ્નના નામે આપવામાં આવતી આ સબસિડી કોઈ સારા કામમાં ખર્ચ કરી શકાય તેવી વિચારણા સરકાર કરી રહી છે. જર્મનીમાં આ કાયદા અંગે છેલ્લા ઘણા સમયથી ટીકાઓ કરવામાં આવી રહી છે.

ખરેખર, પરંપરાગત લિંગ ભૂમિકાઓને અયોગ્ય રીતે પ્રોત્સાહન આપવા માટે કાયદાની લાંબા સમયથી ટીકા કરવામાં આવી છે. ‘ઇએગાટનસ્પ્લિટિંગ’ અથવા ‘મેરિટલ સ્પ્લિટિંગ’ કહેવાથી આ વ્યવસ્થામાં એક દંપતીની કુલ આવક અડધી કરાય છે અને બે વાર ટેક્સ લાદવામાં આવે છે. આનો અર્થ એ થયો કે બંને વચ્ચે આવકમાં જેટલો મોટો તફાવત હશે તેટલો ‌ફાયદો ટેક્સમાં મળશે. કારણ કે જર્મનીમાં પુરુષો મહિલાઓ કરતાં 18% વધુ કમાય છે.

આ કારણે પુરુષોને આ સિસ્ટમનો વધુ ફાયદો મળે છે. મેરિટલ સ્પ્લિટિંગની શરૂઆત 1958માં થઇ હતી ત્યારે ફેડરલ બંધારણીય અદાલતે ચુકાદો આપ્યો કે વર્તમાન કર પ્રણાલી પરિણીત લોકોને નુકસાન પહોંચાડે છે. લગ્ન સાથે જોડાયેલી ટેક્સ વ્યવસ્થા નાબૂદ કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ 1981માં આવ્યો હતો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow