ગાઝા પટ્ટીમાં ઇમારતમાં આગ, 21 લોકો ભડથું

ગાઝા પટ્ટીમાં ઇમારતમાં આગ, 21 લોકો ભડથું

ગાઝા પટ્ટીમાં એક રહેણાંક ઇમારતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 7 બાળકો હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ લોકો પેલેસ્ટાઈનના શરણાર્થીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું - આગનું કારણ જાણી શકાયું નથી. જોકે પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડીંગમાં રાખેલું સંગ્રહિત ગેસોલીનના કારણે આગ લાગવાની શક્યતા છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે બિલ્ડિંગમાં ગેસોલીન કેમ રાખવામાં આવ્યું?

હેલ્થ એન્ડ સિવિલ ઇમરજન્સી ઓફિસરે કહ્યું- આગ ખૂબ જ ભયાનક હતી. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઘણા લોકો ઘાયલ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. આ દરમિયાન ઇઝરાયેલ સરકારે કહ્યું કે જો જરૂર પડશે તો તે ઘાયલ શરણાર્થીઓની તબીબી સારવારમાં મદદ કરશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow