નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમથી 12 કિમીના અંતરે આવેલો ગરૂડેશ્વર કોઝ વે ઉનાળામાં ઓવરફલો થઇ રહયો છે. ઉનાળામાં જયાં નર્મદા નદી સુકીભઠ બની જતી હોય છે તેવામાં કોઝવે 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે અને તેનું કારણ છે ડેમમાં પાણીની આવક થઇ રહી હોવાથી રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

કેવડિયા ખાતે આવેલાં નર્મદા ડેમની સપાટી 129.61 મીટર છે. મધ્યપ્રદેશમાં આવેલાં બર્ગી, ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમના પાવરહાઉસ ચાલુ હોવાથી સરદાર સરોવરમાં પાણી આવી રહ્યું છે. સરદાર સરોવરમાં 33 હજાર કયુસેક પાણીની આવક છે જેની સામે ડેમના પાવરહાઉસ ચાલુ કરી 40 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હોવાથી વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ભળી રહ્યું છે. કોઝવે હાલ 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow