નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમનું રિવરબેડ પાવરહાઉસ ચાલુ કરાતાં ગરુડેશ્વર કોઝવે ઓવરફલો

નર્મદા ડેમથી 12 કિમીના અંતરે આવેલો ગરૂડેશ્વર કોઝ વે ઉનાળામાં ઓવરફલો થઇ રહયો છે. ઉનાળામાં જયાં નર્મદા નદી સુકીભઠ બની જતી હોય છે તેવામાં કોઝવે 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે અને તેનું કારણ છે ડેમમાં પાણીની આવક થઇ રહી હોવાથી રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

કેવડિયા ખાતે આવેલાં નર્મદા ડેમની સપાટી 129.61 મીટર છે. મધ્યપ્રદેશમાં આવેલાં બર્ગી, ઓમકારેશ્વર, ઇન્દિરાસાગર ડેમના પાવરહાઉસ ચાલુ હોવાથી સરદાર સરોવરમાં પાણી આવી રહ્યું છે. સરદાર સરોવરમાં 33 હજાર કયુસેક પાણીની આવક છે જેની સામે ડેમના પાવરહાઉસ ચાલુ કરી 40 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસના ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હોવાથી વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ભળી રહ્યું છે. કોઝવે હાલ 3 મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહ્યો છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow