રહાણેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવા પર ગાંગુલી ગુસ્સે થયા!

રહાણેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવા પર ગાંગુલી ગુસ્સે થયા!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ અજિંક્ય રહાણેને ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ વાઇસ કેપ્ટન બનાવવા પર BCCI પર સવાલ ઉઠાવ્યા છે. ગાંગુલીએ કહ્યું, 'તમે 18 મહિના સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહો, ત્યારપછી તમે પરત ફર્યા પછી ટેસ્ટ મેચ રમીને જ તમને ભારતીય ટેસ્ટ ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવે છે. મને આ નિર્ણય પાછળનું કારણ બિલકુલ સમજાયું નહીં.'

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ પ્રમુખ ગાંગુલીએ કહ્યું કે ટીમ ઈન્ડિયા પાસે રવીન્દ્ર જાડેજાનો વિકલ્પ હતો, જેઓ લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવે છે, પરંતુ પરત ફર્યા બાદ તરત જ રહાણેને વાઇસ-કેપ્ટન બનાવવાનું મને સમજાતું નથી.' તેમણે વધુમાં કહ્યું કે, 'સિલેકશનમાં સાતત્યતા હોવી જોઈએ. પસંદગી આમથી તેમ ના હોવી જોઈએ.'

35 વર્ષીય રહાણે દોઢ વર્ષથી ટીમની બહાર હતો, પરંતુ તેણે આ મહિનાની શરૂઆતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું હતું. ઓવલ ખાતે રમાયેલી WTC ફાઇનલમાં, તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 89 અને બીજી ઇનિંગમાં 46 રન બનાવ્યા હતા અને તે ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow