રહાણેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવા પર ગાંગુલી ગુસ્સે થયા!

રહાણેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવા પર ગાંગુલી ગુસ્સે થયા!

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ અજિંક્ય રહાણેને ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ વાઇસ કેપ્ટન બનાવવા પર BCCI પર સવાલ ઉઠાવ્યા છે. ગાંગુલીએ કહ્યું, 'તમે 18 મહિના સુધી ટીમ ઈન્ડિયાથી બહાર રહો, ત્યારપછી તમે પરત ફર્યા પછી ટેસ્ટ મેચ રમીને જ તમને ભારતીય ટેસ્ટ ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવે છે. મને આ નિર્ણય પાછળનું કારણ બિલકુલ સમજાયું નહીં.'

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ પ્રમુખ ગાંગુલીએ કહ્યું કે ટીમ ઈન્ડિયા પાસે રવીન્દ્ર જાડેજાનો વિકલ્પ હતો, જેઓ લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટ રમવાનો અનુભવ ધરાવે છે, પરંતુ પરત ફર્યા બાદ તરત જ રહાણેને વાઇસ-કેપ્ટન બનાવવાનું મને સમજાતું નથી.' તેમણે વધુમાં કહ્યું કે, 'સિલેકશનમાં સાતત્યતા હોવી જોઈએ. પસંદગી આમથી તેમ ના હોવી જોઈએ.'

35 વર્ષીય રહાણે દોઢ વર્ષથી ટીમની બહાર હતો, પરંતુ તેણે આ મહિનાની શરૂઆતમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલમાં ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કર્યું હતું. ઓવલ ખાતે રમાયેલી WTC ફાઇનલમાં, તેણે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ઇનિંગમાં 89 અને બીજી ઇનિંગમાં 46 રન બનાવ્યા હતા અને તે ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow