કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં થશે ગણપતિની પૂજા, પુરાણો અનુસાર, પરેશાનીઓમાંથી મુક્તિ અપાવનારું વ્રત

કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં થશે ગણપતિની પૂજા, પુરાણો અનુસાર, પરેશાનીઓમાંથી મુક્તિ અપાવનારું વ્રત

આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી છે. આ દિવસે ગણેશજીની કૃષ્ણપીંક્ષા સ્વરૂપે પૂજા કરવાનો નિયમ છે. સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર આ તિથિએ ગણેશજીની વિશેષ પૂજા સાથે વ્રત રાખવાથી પરેશાનીઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

સંકષ્ટી ચતુર્થી પર વિધિ-વિધાન સાથે ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ વ્રત તેના નામ પ્રમાણે ફળ આપે છે એટલે કે તમામ પરેશાનીઓનો અંત આપનાર માનવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી વ્રત પરણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા નસીબની કામના માટે કરતી હોય છે. તે જ રીતે, અપરિણીત છોકરીઓ પણ સારો પતિ મેળવવા માટે દિવસભર ઉપવાસ કરીને સાંજે ભગવાન ગણેશની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

ઉપવાસ પદ્ધતિ: માત્ર ફળો અને દૂધ લઈ શકાય
સૂર્યોદય પહેલાં જાગોઅને સ્નાન કરો અને સૂર્યને જળ અર્પણ કર્યા પછી ભગવાન ગણેશના દર્શન કરો. ગણેશજીની મૂર્તિની સામે બેસીને દિવસભર ઉપવાસ અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ વ્રતમાં આખો દિવસ માત્ર ફળ અને દૂધ જ લેવું જોઈએ. ખોરાક ન ખાવો જોઈએ. આ રીતે ઉપવાસ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. સવાર-સાંજ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. સાંજે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્રત પૂર્ણ કરો.

પૂજા પદ્ધતિ: પહેલા ગણેશજીની પૂજા કરો પછી ચંદ્રની પૂજા કરો
પૂજા માટે પૂર્વ-ઉત્તર દિશામાં એક બાજોઠ રાખો અને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો. સૌપ્રથમ બાજોઠ પર લાલ કે પીળા રંગનું કપડું ફેલાવો. ગણેશજીની મૂર્તિ પર જળ, અક્ષત, દુર્વા, લાડુ, પાન, ધૂપ વગેરે અર્પણ કરો.

અક્ષત અને ફૂલ લઈને ગણપતિને તમારી ઈચ્છા જણાવો અને પછી ઓમ ગં ગણપતયે નમઃ મંત્રનો પાઠ કરીને ગણેશને વંદન કર્યા પછી આરતી કરો. આ પછી ચંદ્રને મધ, ચંદન, રોલી મિશ્રિત દૂધ ચઢાવો. પૂજા પછી લાડુનો પ્રસાદ ગ્રહણ કરો.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow