માલિયાસણ પાસે ગમખ્વાર અકસ્માત

માલિયાસણ પાસે ગમખ્વાર અકસ્માત

રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક ગુરુવારે રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રાજકોટ શહેરના બે નિવૃત્ત એએસઆઇ સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યા હતા, જ્યારે ઘવાયેલા છ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જામનગર રોડ પરાસરપાર્કમાં રહેતા નિવૃત્ત ASI પૃથ્વીરાજસિંહ જાડેજાના ભત્રીજાના સસરા કિરીટસિંહ વાઘેલાએ ડાકોરમાં સપ્તાહનું આયોજન કર્યું હોય પૃથ્વીરાજસિંહ અને તેના પરિવારજનોએ ડાકોર જવાનું નક્કી કર્યું હતું અને મનહરપુરમાં રહેતા નિવૃત્ત એએસઆઇ જયેન્દ્રસિંહ ઝાલાની ઇકો કાર ભાડે રાખી હતી.

જાડેજા પરિવાર ઇકો કારમાં ગુરૂવારે વહેલી સવારે ડાકોર જવા નીકળ્યો હતો અને બપોર સુધી સપ્તાહ સાંભળ્યા બાદ પરત રાજકોટ આવવા નીકળ્યો હતો. રાત્રીના 10.45 વાગ્યે કાર માલિયાસણ નજીક પહોંચી હતી ત્યારે ઇકો ચાલક નિવૃત્ત એએસઆઇ જયેન્દ્રસિંહને બંધ ઊભેલી ટ્રક દેખાઇ નહોતી અને કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘુસી ગઇ હતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow