Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

તથ્ય પટેલની સરખેજ કેફેથી અકસ્માત સ્થળ સુધીના CCTV અને બાઈકર્સનું વીડિયો રેકોર્ડિંગ માગવાની અરજી પર આવતીકાલે વધુ સુનાવણી

Gujaratnow2 min read
તથ્ય પટેલની સરખેજ કેફેથી અકસ્માત સ્થળ સુધીના CCTV અને બાઈકર્સનું વીડિયો રેકોર્ડિંગ માગવાની અરજી પર આવતીકાલે વધુ સુનાવણી

અમદાવાદમાં 19 જુલાઈની મધરાતે જેગુઆર કારથી 9ને કચડી મારનાર તથ્યને જેલમાં ઘરનું બે ટાઈમ જમવાનું મળશે. જોકે, જેલ મેન્યુઅલ પ્રમાણે તથ્યને બે સમય ઘરનું જમવાનું મળશે. તથ્ય પટેલની માગણીઓ પર સરકારનો જવાબ રજૂ કરાયો હતો. અઠવાડિયામાં એક વખત સગાને મળવા અથવા ફોન કરવા દેવામાં આવશે. જ્યારે અમદાવાદ આરટીઓ દ્વારા તથ્ય પટેલનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. જ્યારે અગાઉ તથ્યના વકીલે માગ કરી એ પ્રમાણે સરખેજ કાફેથી અકસ્માત સ્થળ સુધીના CCTV અને બાઈકર્સનું વીડિયો રેકોર્ડિંગ માગ્યા હતા. એ કામ માટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર આવતીકાલે એફિડેવિટ કરશે. આવતીકાલે સવારે 11 વાગે વધુ કાર્યવાહી કરશે.

ટ્રાફિક પોલીસે તથ્ય સામે 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કાર ચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વેહિકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં તથ્યને મિત્રો, ઘાયલો, મૃતકોના સગા સહિત 191 જેટલા સાહેદો છે.

સોમનાથ વત્સ આ કેસમાં તથ્ય પટેલના વકીલ તરીકે હાજર થયા છે. ગત સુનાવણીમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તરફથી કેટલીક માંગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જેમાં તેમણે કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટસ માંગ્યા હતા. આ ઉપરાંત આ કેસમાં લેવાયેલા 164ના નિવેદનોની કોપી, બાઇક ચાલકે ઉતારેલો વીડિયો અને સીસીટીવીના ફૂટેજની માગ, ઘરનું ટિફિન જેલમાં મળે તેવી માગ ઉપરાંત સૌથી મહત્વની માગ તથ્ય 20 વર્ષનો હોવાથી તેને ડિસ્ટન્સ લર્નિંગ માટે પરમિશનની માગ કરી હતી. ઉપરાંત આરોપીઓને સાથે પરિવારના સભ્યો જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે. જેને વધારવાની કરી માગ કરવામાં આવી હતી.

Gujaratnow2 min read

Related News