WPI ફુગાવાથી લઈને 500થી વધુ કંપનીઓના Q4 પરિણામો બજારની ચાલ નક્કી કરશે

WPI ફુગાવાથી લઈને 500થી વધુ કંપનીઓના Q4 પરિણામો બજારની ચાલ નક્કી કરશે

ભારતીય શેરબજારમાં આ સપ્તાહે તેજી જોવા મળી શકે છે. વિશ્લેષકોના મતે, અપકમિંગ વીકમાં 500થી વધારે કંપનીઓના Q4માં અર્નિંગના પરિણામ, WPI ફુગાવો, ભારતના વિદેશી વેપાર ડેટા, બેંક લોન વૃદ્ધિ અને વૈશ્વિક ડેટા-ટ્રેન્ડ પર બજારની નજર રહેશે.

આગામી સપ્તાહે આ પરિબળો દ્વારા બજારની ચાલ નક્કી થશે
જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ઉપરાંત, નિકાસ અને આયાત ડેટા પણ 15 મેના રોજ બહાર પાડવામાં આવશે. ભારતની વેપારી વેપાર ખાધ માર્ચમાં વધીને $19.70 અબજ થઈ હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં $18.51 અબજ હતી.

આ દરમિયાન, ભારતનો વાર્ષિક જથ્થાબંધ ભાવનો ફુગાવાનો દર માર્ચમાં સતત 10મા મહિને ઘટીને 1.34% થયો, જે ઓક્ટોબર 2020 પછીનો સૌથી નીચો છે. બીજી તરફ, 19 મેના રોજ, ભારતના વિદેશી મુદ્રા ભંડાર અને થાપણ વૃદ્ધિનો ડેટા જાહેર થવાનો છે.

તે જ સમયે, ભારતનો છૂટક ફુગાવો (CPI) એપ્રિલ મહિનામાં 4.70% ના 18 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ (IIP) ફેબ્રુઆરીમાં 5.8%થી ઘટીને માર્ચમાં 1.1% ના 5 મહિનાની નીચી સપાટીએ આવી ગઈ છે. બજાર આના પર પણ પ્રતિક્રિયા આપશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow