હાડકાં મજબૂત કરવાથી લઈને લીવરની સમસ્યાથી છુટકારો અપાવશે લીલું સફરજન, જાણો શું છે તેના ફાયદા

હાડકાં મજબૂત કરવાથી લઈને લીવરની સમસ્યાથી છુટકારો અપાવશે લીલું સફરજન, જાણો શું છે તેના ફાયદા

ઘણા લોકો એવું કહેતા હોય છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી (An apple a day keeps the doctor away), કારણ કે સફરજન ખાવાથી ઘણી બીમારીઓનું જોખમ ટળી જાય છે. એમાં કોઈ શંકા નથી કે સફરજન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે લાલ રંગના સફરજન ખૂબ જ પસંદ આવે છે પણ શું તમે ક્યારેય લીલું સફરજન ખાધું છે? લાલ હોય કે લીલું સફરજન ખાવાના ઘણા ફાયદા છે એ આપણે બધા જાણીએ છીએ પણ લીલા સફરજન ખાવાના ઘણા વધુ ફાયદા છે અને અને આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ કે લીલા સફરજન ખાવાથી આપણા સ્વાસ્થ્યને કેવો અને કેટલો ફાયદો થાય છે?

લીલા સફરજન ખાવાના ફાયદા
લીવર માટે ફાયદાકારક
લીલા સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ડિટોક્સીફાઈંગ એજન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ સાથે જ તેનું સેવન લીવરને યકૃતની સ્થિતિથી બચાવે છે. એટલા માટે રોજ લીલા સફરજન નું સેવન કરશો તો લીવરનું કાર્ય યોગ્ય રહેશે.

હાડકાં મજબુત રહેશે
દરેક લોકો તેના શરીરને મજબુત રાખવા માંગે છે પણ તમને જણાવી દઈએ કે શરીરને મજબૂત રાખવા માટે આપણા હાડકાંને મજબૂત કરવા પડશે. હાડકાં મજબૂત કરવા માટે દરરોજ લીલા સફરજનનું સેવન કરવું જોઈએ. સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી હાડકાંની ઘનતા ઓછી થવા લાગે છે અને એવી સ્થિતિમાં લીલું સફરજન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આંખોની રોશની વધારશે
લીલા સફરજનને વિટામિન Aનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી માત્ર આંખોની રોશની જ નહીં પરંતુ રાતાંધળાપણાને પણ અટકાવે છે. જણાવી દઈએ કે લીલા સફરજનને  'આંખોનો મિત્ર' કહેવામાં આવે છે.

શ્વસન સંબંધી બીમારીઓ ઘટાડે
આજકાલ વધી રહેલા પ્રદૂષણને કારણે આપણા ફેફસાંને ઘણું નુકસાન થઈ  પંહોચી રહ્યું છે અને એ કારણે શ્વસન સંબંધી બીમારીઓ પણ ઘણી વધી રહી છે. નિયમિતપણે લીલું સફરજન ખાવાથી ફેફસાના રોગનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow