રમા એકાદશીથી લઈને દિવાળી સુધી ઘરમાં વિવિધ જગ્યાએ દીવો પ્રગટાવો

રમા એકાદશીથી લઈને દિવાળી સુધી ઘરમાં વિવિધ જગ્યાએ દીવો પ્રગટાવો

હિન્દુ ધર્મમાં ધર્મ, કર્મ, ક્ષમા, દયા, શ્રદ્ધા જેવી બાબતોના ગુઠ રહસ્યો રહેલા છે, ધાર્મિક ગ્રંથો, તંત્રમાં પણ કેટલીક માનવ જીવનના કલ્યાણ બાબતે કેટલીક બાબતો જાણવા મળે છે, તો કેટલાક અનુભવી વિદ્વાનો પાસેથી પણ જાણવા મળે છે. દીપદાનની વાત ધાર્મિક ગ્રંથો ઉપરાંત તંત્ર શાસ્ત્રમાંથી પણ જાણવા મળે છે, જુદા-જુદા પર્વ અને દેવ હેતુ કરવામાં આવતા દીપદાનનો મહિમા અને દીપાવલી પર્વ પર કરવામાં આવતાં દીપદાન ઉલ્લેખનીય છે, જે યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે

દીપદાન વખતે કોડોયામાં ઘી કે તેલ કોડિયામાં સમાય તેટલું પૂરું ભરવું, કોડિયાને નાની ડિશમાં થોડાં ઘઉં રાખીને મૂકવો અને બાજુમાં એક નંગ સાકાર પણ રાખવી પછી સવારે તે કોડિયું અને ડિશ લઈ ધોઈ નાખવાં અને ઘઉં અને સાકર પક્ષીને ચણ તરીકે બહાર મૂકી દેવા કે નજીકના વિદ્વાન પાસેથી આ અંગે માર્ગદર્શન લઈ લેવું હિતાવહ છે.

આ વર્ષે દિવાળી પર્વ દરમિયાન સૂર્યગ્રહણ પણ રહેશે. 21 ઓક્ટોબર, શુક્રવારના રોજ એકાદશી તિથિ રહેશે. આ જ દિવસે સૂર્યાસ્ત પછી બારસ તિથિ શરૂ થઈ જશે. 22 ઓક્ટોબર, શનિવારે સાંજે ધનતેરસ રહેશે. 23 ઓક્ટોબર, રવિવારે સાંજે કાળી ચૌદશ રહેશે. 24 ઓક્ટોબર, સોમવારે દિવાળી ઊજવાશે. 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ હોવાથી પડતર દિવસ કહેવાશે. 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા થશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow