હવેથી તમારી પર પોલીસની રહેશે બાજ નજર, શહેરમાં લગાવાશે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા

હવેથી તમારી પર પોલીસની રહેશે બાજ નજર, શહેરમાં લગાવાશે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા

અમદાવાદીઓ પર હવે પોલીસની બાજ નજર રહેશે.  અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ઈ મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે. શહેરના તમામ વિસ્તારમાં આ કેમેરા લગાવવામાં આવશે. જેમાં ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે.

અમદાવાદીઓ માટે હવે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે અમદાવાદમાં અનેક સ્થળો ઉપર હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવવામાં આવશે.  ટ્રાફિકના નિયમોને તોડનારાને ઈ-મેમો આપીને દંડની કાર્યવાહી સઘન બનાવવામાં આવશે. ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. જેને લઈ મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ અપાશે. આ સાથે કંપનીને 5 વર્ષ માટે આ કામગીરી સોંપવામાં આવશે.

AMC દ્વારા બાઈક શેરિંગ માટે પણ ટેન્ડર મંગાવાયા

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા હવે બાઈક શેરિંગ માટે પણ ટેન્ડર મંગાવાયા. આ સાથે હવે શહેરના તમામ વિસ્તારમાં CCTV કેમેરા લાગશે. અમદાવાદમાં હવે ઈ-મેમો આપતા 2142 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવાશે. જેને લઈ મ્યુનિ. વાઈફાઈ સ્પોટ, સ્ટ્રીટ લાઈનનો કોન્ટ્રાક્ટ અપાશે.

અકસ્માત ટાળવા નવો અભિગમ

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઈવે પર પણ અકસ્માતો વધી રહ્યા છે. આ તમામની વચ્ચે અમદાવાદ પોલીસે હાઈવે પર સ્પીડ કેમેરા સાથે એક નવતર અભિગમ પણ અપનાવ્યો છે. આ અભિગમ અંતર્ગત હવેથી સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલા તમામ બ્રિજ પર વચ્ચેના ભાગ પર અવરોધો લગાવવામાં આવ્યા છે. આ અવરોધો લગાવવાથી અકસ્માત સમયે બ્રિજ પર વધારે જાનહાનિ સર્જાશે નહીં. સાથો સાથ અકસ્માત સમયે શરીરના ભાગમાં ઈજા પણ ઓછી પહોંચે તે હેતુસર અવરોધો વચ્ચે ડનલોપની ગાદી પણ મુકવામાં આવશે.

Read more

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow
સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 10 દરવાજા ખોલાયા

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે (31

By Gujaratnow