માતાજીથી લઈને ભગવાન પણ રંગાયા દેશભક્તિના રંગમાં

માતાજીથી લઈને ભગવાન પણ રંગાયા દેશભક્તિના રંગમાં

આજે સમગ્ર દેશમાં 74માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર-ઠેર દેશભક્તિના ગીતો સંભળાય રહ્યા છે.  

ત્યારે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના વિવિધ મંદિરોમાં પણ ભગવાનને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. જેના થકી મંદિરોમાં ભક્તિમય સાથે-સાથે દેશભક્તિમય વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

દેવાધિ દેવ મહાદેવને તિરંગાનો કરાયો શણગાર
દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ પણ આજે દેશભક્તિનાં રંગમાં રંગાયા છે. દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરે અનોખા અંદાજમાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ છે. દેવાધિ દેવ મહાદેવને ત્રિરંગો શણગાર કરાયો છે. મહાદેવ પણ દેશ ભક્તિનાં રંગમાં રંગાતા શ્રદ્ધાળુઓ મહાદેવની એક ઝલક મેળવવા સોમનાથ ઉમટી પડયા છે.  મંદિર પરિસર અને શિવ ભક્તો પણ જાણે કે ધર્મની સાથે રાષ્ટ્ર ભક્તિમાં તલ્લીન બન્યા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે.

કષ્ટભંજન દેવને અનોખો શણગાર
આ સાથે જ 74માં પ્રજાસત્તાક પર્વના દિવસે બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. દાદાને તિંરગા વાઘાનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસનની આસપાસ તિરંગો પણ મૂકવામાં આવ્યો છે.

તિરંગાના રંગે રંગાયું ચામુંડા માતાજીનું મંદિર
સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ધામ ચોટીલા ચામુંડા માતાજીના મંદિર પણ તિરંગાના રંગે રંગાયું છે. માતાજીના સિંહાસની પાછળ તિરંગો લગાવવામાં આવ્યો છે. માતાજીના આ સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં તિરંગાથી શણગાર કરાયો
શક્તિપીઠ પાવાગઢ મંદિર દેશભક્તિના રંગે રંગાયું છે, મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં તિરંગાથી શણગાર કરાયો છે. નિજ મંદિર પરિસરમાં પ્રથમ વખત ધ્વજવંદન કરવામાં આવ્યું છે.

હરિકૃષ્ણ મહારાજને પહેરાવવામાં આવ્યા વિશિષ્ટ વાઘા
ભારત આજે 26 જાન્યુઆરીએ 74મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યું છે. આજે પ્રજાસત્તાક દિન નિમિતે વડતાલ સ્વામિનારાયણ મંદિરે હરિકૃષ્ણ મહારાજને અનોખો શણગાર કરવામાં આવ્યો છે. હરિકૃષ્ણ મહારાજને તિંરગા વાઘાનો અદભુત શણગાર કરાયો છે. સાથે મંદિરના પરિસરમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં સવારે ધ્વજવંદનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow