કબજિયાતથી લઈને દાંતની કેવિટી સુધી આ બીમારીઓ માટે રામબાણ છે એલોવેરા, જાણો કેવી રીતે કરશો સેવન

કબજિયાતથી લઈને દાંતની કેવિટી સુધી આ બીમારીઓ માટે રામબાણ છે એલોવેરા, જાણો કેવી રીતે કરશો સેવન

અનેક લોકોના ઘરમાં તમને એલોવેરાનો છોડ જોવા મળતો હશે. એલોવેરા સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. એલોવેરાનું તમે રેગ્યુલર સેવન કરો તો કેટલીક બીમારીઓ સામે લડવાની તાકાત આવે છે. જાણો એવી કેટલીક સમસ્યાઓ વિશે કે જેમાં એલોવેરા ફાયદાકારક છે.

એક્ઝિમામાં એલોવેરા
એક્ઝિમામાં એલોવેરા એક બેસ્ટ દવા તરીકેનું કામ કરે છે, જોકે એલોવેરાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હીલર અને કૂલિંગ ગુણોથી ભરપૂર છે. એક્ઝિમા એક સ્કિન ડિસીઝ છે, જેમાં ખંજવાળ અને બળતરા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ એ‌િન્ટ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ હોવાથી તે ‌સ્કિનડીસીઝથી બચાવવામાં મદદ કરે છે.

કબ‌િજયાતમાંથી છુટકારો
તમને કબ‌િજયાતની તકલીફ છે તો તમે એલોવેરા જ્યૂસ પીવાનું શરૂ કરી દો. તે લેક્ટિવ ગુણોથી ભરપૂર હોય છે, જે પેટ સાફ કરવામાં અને મેટાબોલિક રેટ વધારવામાં મદદ કરે છે. આ સિવાય એલોવેરા ર્બોવેલ મૂવમેન્ટ અને મળની ગતિને તેજ કરે છે, જેના કારણે તમને કબ‌િજયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

મોંમાં ચાંદાં પડે ત્યારે
ઘણા લોકોને વારંવાર મોંમાં ચાંદાં પડી જતાં હોય છે. મોંમાં ચાંદાં પડવાના કારણે વ્યક્તિ સરખી રીતે જમી પણ શકતી નથી અને તેને બળતરા થાય છે, એવામાં એલોવેરા બેસ્ટ છે. એલોવરા જેલમાં એ‌િન્ટ બેક્ટેરિયલ અને એ‌િન્ટ ફંગલ હોય છે, જે ઇન્ફેક્શનને ઓછું કરે છે. આ સાથે જ પેટની ગરમી અને જીભની બળતરા ઓછી કરવાનું કામ કરે છે.

દાંતમાં કેવિટી થાય ત્યારે
દાંતમાં કેવિટી થવા પર સામાન્ય રીતે અનેક લોકો હેરાન થઇ જતા હોય છે. એવા સંજોગોમાં તમે એલોવેરાનું સેવન કરો છો તો દાંતની આ સમસ્યામાંથી રાહત મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસમાં એલોવેરા મુખ્યત્વે બે રીતે કામ કરે છે. એક તો શુગર મેટાબોલિઝમ તેજ કરે છે અને સાથે બીજું એ છે કે આ ઇન્સ્યુલિન પ્રોડક્શનને તેજ કરવાનું કામ કરે છે. આનાથી શુગરનું પ્રમાણ વધતું નથી અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ માટે ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ એલોવેરા જ્યૂસ પીવો જોઇએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow