કબજિયાતથી લઈને દાંતની કેવિટી સુધી આ બીમારીઓ માટે રામબાણ છે એલોવેરા, જાણો કેવી રીતે કરશો સેવન

કબજિયાતથી લઈને દાંતની કેવિટી સુધી આ બીમારીઓ માટે રામબાણ છે એલોવેરા, જાણો કેવી રીતે કરશો સેવન

અનેક લોકોના ઘરમાં તમને એલોવેરાનો છોડ જોવા મળતો હશે. એલોવેરા સ્કિન અને હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. એલોવેરાનું તમે રેગ્યુલર સેવન કરો તો કેટલીક બીમારીઓ સામે લડવાની તાકાત આવે છે. જાણો એવી કેટલીક સમસ્યાઓ વિશે કે જેમાં એલોવેરા ફાયદાકારક છે.

એક્ઝિમામાં એલોવેરા
એક્ઝિમામાં એલોવેરા એક બેસ્ટ દવા તરીકેનું કામ કરે છે, જોકે એલોવેરાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હીલર અને કૂલિંગ ગુણોથી ભરપૂર છે. એક્ઝિમા એક સ્કિન ડિસીઝ છે, જેમાં ખંજવાળ અને બળતરા થાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલ એ‌િન્ટ બેક્ટેરિયલ અને એન્ટિ ફંગલ હોવાથી તે ‌સ્કિનડીસીઝથી બચાવવામાં મદદ કરે છે.

કબ‌િજયાતમાંથી છુટકારો
તમને કબ‌િજયાતની તકલીફ છે તો તમે એલોવેરા જ્યૂસ પીવાનું શરૂ કરી દો. તે લેક્ટિવ ગુણોથી ભરપૂર હોય છે, જે પેટ સાફ કરવામાં અને મેટાબોલિક રેટ વધારવામાં મદદ કરે છે. આ સિવાય એલોવેરા ર્બોવેલ મૂવમેન્ટ અને મળની ગતિને તેજ કરે છે, જેના કારણે તમને કબ‌િજયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.

મોંમાં ચાંદાં પડે ત્યારે
ઘણા લોકોને વારંવાર મોંમાં ચાંદાં પડી જતાં હોય છે. મોંમાં ચાંદાં પડવાના કારણે વ્યક્તિ સરખી રીતે જમી પણ શકતી નથી અને તેને બળતરા થાય છે, એવામાં એલોવેરા બેસ્ટ છે. એલોવરા જેલમાં એ‌િન્ટ બેક્ટેરિયલ અને એ‌િન્ટ ફંગલ હોય છે, જે ઇન્ફેક્શનને ઓછું કરે છે. આ સાથે જ પેટની ગરમી અને જીભની બળતરા ઓછી કરવાનું કામ કરે છે.

દાંતમાં કેવિટી થાય ત્યારે
દાંતમાં કેવિટી થવા પર સામાન્ય રીતે અનેક લોકો હેરાન થઇ જતા હોય છે. એવા સંજોગોમાં તમે એલોવેરાનું સેવન કરો છો તો દાંતની આ સમસ્યામાંથી રાહત મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસમાં એલોવેરા મુખ્યત્વે બે રીતે કામ કરે છે. એક તો શુગર મેટાબોલિઝમ તેજ કરે છે અને સાથે બીજું એ છે કે આ ઇન્સ્યુલિન પ્રોડક્શનને તેજ કરવાનું કામ કરે છે. આનાથી શુગરનું પ્રમાણ વધતું નથી અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ માટે ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ એલોવેરા જ્યૂસ પીવો જોઇએ.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow