દોસ્ત બન્યા દુશ્મન!

દોસ્ત બન્યા દુશ્મન!

પાકિસ્તાનની શાહબાઝ સરકાર અફઘાનિસ્તાનના બેવડા મારનો સામનો કરી રહી છે. પહેલાં તો તહેરિક- એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) જ પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર હુમલા કરતું હતું. હવે અફઘાનિસ્તાન સૈન્યે પણ પાકિસ્તાન સૈનિકો પર હુમલા શરૂ કરી દીધા છે. આ દરમિયાન અફઘાન સુરક્ષાકર્મીઓના ગોળીબારમાં આઠ લોકોનાં મોત થયાં છે, જ્યારે 15થી વધુને ઇજા થઇ છે. તેની વિરુદ્ધ પાકિસ્તાને પણ ગોળીબારમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો છે. અફઘાન સૈનિકો બલુચિસ્તાનના ચમન જિલ્લા નજીક સરહદે એક નવી ચેકપોસ્ટ બનાવવા ઈચ્છતા હતા.

આ વાતથી મામલો બગડ્યો. તેમને પાકિસ્તાની રેન્જર્સે રોક્યા તો તેમણે તોપમારો શરૂ કર્યો. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે કહ્યું કે, અફઘાન સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે આ પ્રકારની ઘટનાઓ ફરી ના થાય. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તા આપીને પગ પર કુહાડો માર્યો છે.

અફઘાન સરહદે પાકિસ્તાનના 115 પોલીસકર્મીનાં મોત
ખૈબર પખ્તુન્વા પોલીસના ડેપ્યુટી હેડ મુહમ્મદ અલી બાબા ખેલે શાંતિ અને સુરક્ષા સામે અનેક પડકારો અંગેના સેમિનારમાં કહ્યું હતું કે અફઘાન તાલિબાન અને પ્રતિબંધિત ટીટીપી એક જ સિક્કાની બે બાજુ છે. આ વર્ષે સરહદે થયેલી અથડામણોમાં પાકિસ્તાનના 115 પોલીસકર્મી માર્યા ગયા છે. પોલીસ પર હુમલા એ વાતનો પુરાવો છે કે પોલીસ તેમનું કામ પ્રામાણિકતાથી કરે છે. હાલમાં જ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે બલુચિસ્તાનમાં આતંકી ગતિવિધિ વધી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow