EU સાથે મુક્ત વેપાર કરારમાં હજુ થોડો વધુ સમય લાગશે: ગોયલ

EU સાથે મુક્ત વેપાર કરારમાં હજુ થોડો વધુ સમય લાગશે: ગોયલ

યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર અંગે સારા સમાચાર મળી શકે છે પરંતુ તેના માટે 27 દેશ સાથે વાટાઘાટો ચાલી રહ્યો છે જેને કારણે મુક્ત વેપાર કરારને અંતિમ તબક્કા સુધી પહોંચવામાં થોડો વિલંબ થઇ શકે છે તેવું કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. Ficci દ્વારા આયોજીત ટેક્નોટેક્સ ઇવેન્ટ દરમિયાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે અત્યારે EU તેમજ અન્ય બે-ત્રણ દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને લઇને વાટાઘાટો ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં તેને લઇને કોઇ સારા સમાચાર મળી શકે છે. જો કે EU સાથે કરારને લઇને થોડો વધુ સમય લાગી શકે છે.

ગત વર્ષે ભારતે ઓસ્ટ્રેલિયા અને UAE સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યારે ભારત યુકે, ઇઝરાયલ અને કેનેડા જેવા દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે. સરકાર ફિનિશ્ડ ગૂડ્સ સેક્ટર માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ જેવી સ્કીમ અંગે વિચારણા કરી રહી છે પરંતુ તે અંગે વધુ માહિતી આપી ન હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારે ટેક્સટાઇલ રિસર્ચ મિશન હેઠળ રૂ.1,400 કરોડની ફાળવણી કરી હોવા છતાં ટેક્સટાઇલ સેક્ટરમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ હેતુ માટે સરકારને માત્ર રૂ.250 કરોડની અરજીઓ મળી છે. ટેક્નિકલ અને ટેક્સટાઇલ બિઝનેસમાં ખૂબ જ અવકાશ રહેલો છે અને ઇન્ડસ્ટ્રીને તેમાં રોકાણ વધારવા માટે અનુરોધ કર્યો હતો. દેશનું માર્કેટ અત્યારના 10-12 ટકાથી પણ ઝડપી ગતિએ વધશે. $22 અબજની ઇન્ડસ્ટ્રી વર્ષ 2047 સુધીમાં $125 અબજ થવાનો લક્ષ્યાંક ધરાવે છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow