પૂર્વ CEO પરાગ અગ્રવાલ અને 2 અન્ય અધિકારીએ ટ્વિટર સામે કેસ દાખલ કર્યો હતો

પૂર્વ CEO પરાગ અગ્રવાલ અને 2 અન્ય અધિકારીએ ટ્વિટર સામે કેસ દાખલ કર્યો હતો

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) પરાગ અગ્રવાલ, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) નેડ સેગલ અને લીગલ અફેર્સ એન્ડ પોલિસી ચીફ વિજયા ગડ્ડેને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

આ ત્રણેય પૂર્વ એક્ઝિક્યુટિવ ઓફિસરે​​​ સોમવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ દ્વારા કંપનીમાંથી કાઢી મુકાયા બાદ તપાસ અને પૂર્વ નોકરીઓ સંબંધિત પૂછપરછના ખર્ચાની ભરપાઈ કરવાની માંગણી કરવામાં આવી છે.

1 મિલિયન ડોલરથી વધુનું નુકસાન
પરાગ અગ્રવાલ, નેડ સેગલ અને વિજયા ગડ્ડેએ આ કેસ દ્વારા દાવો કર્યો છે કે કંપની પર તેમનો 1 મિલિયન ડોલર (આશરે રૂ. 82 લાખ)થી વધુની બાકી છે. આ રૂપિયા ટ્વિટરને આપવા પડશે કારણ કે ટ્વિટર કાયદાકીય રીતે આ રૂપિયા ચૂકવવા માટે બંધાયેલ છે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) અને યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (DOJ) દ્વારા તપાસ સંબંધિત વિવિધ ખર્ચની વિગતો કોર્ટમાં જણાવવામાં આવી છે. જો કે, આ તપાસ હજુ ચાલુ છે કે પૂરી થઈ છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

કોર્ટના ડોક્યુમેન્ટ મુજબ, પરાગ અગ્રવાલ અને તત્કાલીન CFO નેડ સેગલે ગયા વર્ષે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં જુબાની આપી હતી અને ફેડરલ સત્તાવાળાઓ સાથે સંપર્કમાં હતા.

Read more

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ગ્રીનલેન્ડ પર પોતાની 50 વર્ષ જૂની દલીલથી ફસાયું ડેનમાર્ક

ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ

By Gujaratnow
મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow