પરંપરાગત જ્ઞાન-AIની મદદથી જંગલની આગને રોકી શકાય છે

પરંપરાગત જ્ઞાન-AIની મદદથી જંગલની આગને રોકી શકાય છે

હવાઈ ​​અને રૉડ આઈલેન્ડ જેવા પ્રવાસન સ્થળોથી લઈને કેનેડા અને બ્રાઝિલના જંગલોમાં વિકરાળ આગ ફેલાઈ. તેના પાછળનું એક જ કારણ જળવાયુ પરિવર્તન છે. ભારતના ઘણા જંગલોમાં પણ આગ લાગવાની સંભાવના છે.

વિશ્વમાં આગના મોટા કિસ્સા ક્યાં બન્યા?
હવાઈએ સદીની સૌથી મોટી આગનો સામનો કર્યો. લગભગ 100 લોકોના મોત સાથે 45.9 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. માઉઈમાં ઓછો વરસાદ અને રેકોર્ડ તાપમાને લીધે જંગલની આગનું કારણ બન્યું. જોકે આ તામામ પાછળ જળવાયુ પરિવર્તન જવાબદાર છે. કેનેડામાં જંગલમાં લાગેલી આગે મોટા હિસ્સા લપેટમાં લીધો હતો.

ભારતના જંગલોમાં આગનો ખતરો કેટલો છે?
ભારતના જંગલો એશિયામાં અત્યંત સમૃદ્ધ છે, પરંતુ તે સૌથી વધુ જોખમી પણ છે. સૌથી ચિંતાજનક આંકડા એ છે કે દેશના 36% જંગલ વિસ્તાર આગ માટે સંવેદનશીલ છે. માર્ચની શરૂઆતથી 12 દિવસમાં ભારતમાં જંગલમાં આગ લાગવાની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 115%નો વધારો થયો છે.

ભારતમાં કેવા પ્રયાસો થઈ રહ્યા છે?
ભારતમાં આ દિશામાં કામ શરૂ થઈ ગયું છે. આ માટે 2018માં ફોરેસ્ટ ફાયર પર નેશનલ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. તેનો સૌથી મોટો ઉદ્દેશ્ય લોકોના સમુદાય અને સરકારી વન વિભાગના સંયુક્ત પ્રયાસથી જંગલમાં આગ લાગવાની ઘટનાઓને રોકવાનો છે. ફોરેસ્ટ ફાયર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ યોજના 2017માં જંગલમાં લાગેલી આગને રોકવા માટે નાણાકીય વ્યવસ્થા કરવા માટે શરૂ કરાઈ હતી.

એઆઈ આગને રોકવામાં કેવી રીતે મદદ કરી શકે?
દેશમાં આગ ઓલવવા માટે અનેક આધુનિક તકનીકો છે. તે સિવાય એઆઈ પણ જંગલોની આગનું અનુમાન, નિવારણ માટે મદદરૂપ થઈ શકે છે. સ્વદેશી જ્ઞાન તેમજ એઆઈ પાવર પ્રિડિક્શન મોડલ આગને ઝડપથી અટકાવી શકે છે. અરુણ સિંહ રાવતે જંગલમાં લાગેલી આગને રોકવા માટે આપણે અસરકારક વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને લઈને ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. આદિવાસીની આધુનિક શોધ પ્રણાલી અને પરંપરાગત નિયંત્રણ તકનીકો અસરકારક સાબિત થશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow