Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Gujarat High court

ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, મુલાકાતીઓ માટે નહીં, જંગલ વિસ્તારમાં આવેલા મંદિરો મામલે ગુજ HCની ટિપ્પણી

Gujaratnow2 min read
ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, મુલાકાતીઓ માટે નહીં, જંગલ વિસ્તારમાં આવેલા મંદિરો મામલે ગુજ HCની ટિપ્પણી

ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા મુલાકાતીઓ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગીર જંગલના મહાદેવ મંદિરમાં મુલાકાતીઓને મંજૂરી આપવા બાબતે અરજી કરવામાં આવી હતી અને જંગલના મંદિરોમાં 24 કલાક સુધી અવર-જવરની પરમિશન આપવાની માંગ કરવામાં આવી છે. જેમાં ફોરેસ્ટ વિસ્તાર હોવાથી લોકો સૂર્યાસ્ત સુધી જ મુલાકાત લઈ શકે તેવું સરકારી વકીલએ જણાવ્યું હતું. આ મામલે ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા યાત્રાળુઓ પર હાઇકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કાઇકોર્ટે કહ્યું કે ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે હોય છે, માણસો માટે નહીં. અરજદારની માગ પર હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ફોરેસ્ટ એરિયાના મંદિરોમાં આવતા યાત્રાળુઓ પર HCની મહત્વની ટિપ્પણી

યાત્રાળુઓને જંગલના મંદિરોમાં કેટલા સમય માટે મુલાકાતની મંજૂરી છે? તેવો સવાલ જરી હાઈકોર્ટે 3 સપ્તાહ માટે સુનાવણી મુલતવી રાખી છે. C.J અરવિંદ કુમાર અને જસ્ટિસ શાસ્ત્રીની બેંચ દ્વારા જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. 24 કલાક મંદિરમાં એન્ટ્રીની પરવાનગી જોઈએ તેવુ અરજદારએ અરજીમાં જણાવ્યું છે.

ફોરેસ્ટ એરિયા પ્રાણીઓ માટે છે માણસો માટે નથી

વધુમાં હાઇકોર્ટે ફોરેસ્ટ એરિયામાં આવેલ મંદિરો અને યાત્રાળુઓને મંજૂરીની વિગતો માંગી યાત્રાળુઓને મંદિરોમાં કેટલા સમય માટે મુલાકાતની મંજૂરી છે? હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ CJ અરવિંદ કુમારએ કહ્યું કે ફોરેસ્ટ એરિયામાં સિંહો ફરશે, તમે નહી! તેમણે એવું પણ કહ્યું કે તમારે તેમના પ્રદેશમાં ફરવું હોય,તો તેઓ આપણા પ્રદેશમાં પણ ફરશે!

Gujaratnow2 min read

Related News