અદાણી મુદ્દે સંસદમાં સતત ત્રીજા દિવસે ભારે હોબાળો

અદાણી મુદ્દે સંસદમાં સતત ત્રીજા દિવસે ભારે હોબાળો

અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગની રિપોર્ટને લઈને સોમવારે સંસદના બંને ગૃહોમાં હોબાળો થયો હતો. વિપક્ષ આ મુદ્દે ચર્ચાની માંગ પર અડગ છે. કોંગ્રેસે અદાણી કેસની જેપીસી અથવા સુપ્રીમ કોર્ટની સમિતિ દ્વારા તપાસની માંગણી સાથે દેશભરમાં એલઆઈસી અને એસબીઆઈની કચેરીઓ બહાર વિરોધ દેખાવ કર્યું હતું. દરમિયાન સોમવારે અદાણી જૂથે પ્લેજ્ડ શેર રિલિઝ કરવા માટે 1.1 અબજ ડોલરની લોન પ્રી-પે કરવાની જાહેરાત કરી હતી. સંસદમાં હંગામા પછી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

અદાણીના શેર વધુ તૂટ્યા
અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યો ત્યારથી અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરમાં લગભગ 55%નો ઘટાડો થયો છે. સોમવારે સવારે કંપનીના શેરમાં 5%નો ઘટાડો થયો હતો. જોકે, પાછળથી તેમાં રિકવરી જોવા મળી હતી અને માત્ર 2% ઘટીને રૂ. 1,554 પર બંધ થયો હતો. બીજી તરફ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે માર્જિન લોન પર કોલેટરલ તરીકે અદાણી ગ્રૂપના બોન્ડ લેવાનું બંધ કર્યું છે. આ પહેલા સિટીગ્રુપ અને ક્રેડિટ સુઈસ બેંકે પણ આવું જ કર્યું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow