Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
✨ Gujarat

જગતમંદિરના શિખર પર એક જ માસમાં બીજી વખત એક સાથે 2 ધ્વજાજીનું આરોહણ કરાયું

Gujaratnow1 min read
જગતમંદિરના શિખર પર એક જ માસમાં બીજી વખત એક સાથે 2 ધ્વજાજીનું આરોહણ કરાયું

બિપરજોય વાવાઝોડા સમયે ભારે પવન સાથે વરસાદની સ્થિતિમાં દ્વારકાધીશ જગતમંદિરમાં એકસાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. જે બાદ શનિવારે સવારે ફરી એક વાર ભારે પવન સાથે વરસાદની સ્થિતિમાં જગતમંદિરના શિખર પર ચઢાવાયેલ એક ધ્વજાજીને ઉતાર્યા વગર ધ્વજદંડની નીચેના ભાગમાં બીજી ધ્વજાજીનું આરોહણ કરાતા એક જ માસની અંદર બીજી વખત એક સાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ કરવાનો જ્વલેજ બનતો સંયોગ જોવા મળ્યો હતો.

જગતમંદિરમાં એકસાથે બબ્બે ધ્વજાજીનું આરોહણ
બિપરજોય વાવાઝોડાં દરમ્યાન સર્જાયેલ સંયોગ વખતે સ્થાનીય જાણકારોએ ભગવાનનો શુભ સંકેત ગણાવી બિપરજોય વિપદામાંથી દ્વારકા હેમખેમ બચી જશે તેવો વિશ્વાસ વ્યકત કરેલ જે સાચો ઠર્યો હતો. અષાઢ માસના વરસાદી માહોલમાં ફરીએક વખત આવો સંયોગ થતાં જેને પણ ધરતીપૂત્રો માટે ચોમાસું સારૂ વાના શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે.

Gujaratnow1 min read

Related News