રથયાત્રામાં પહેલીવાર ઉજ્જૈનના કલાકારો શિવતાંડવ રજૂ કરશે

રથયાત્રામાં પહેલીવાર ઉજ્જૈનના કલાકારો શિવતાંડવ રજૂ કરશે

અષાઢી બીજે રાજકોટમાં 16મી રથાયાત્રા નીકળશે. ભારતીય સંસ્કૃતિ, પરંપરાની જાણકારી યુવા, બાળક સૌ કોઇને મળે તે માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ વખતે પહેલીવાર રથયાત્રા દરમિયાન શિવતાંડવ ઉજ્જૈનના કલાકારો રજૂ કરશે જ્યારે કૃષ્ણલીલા, નૃત્ય વગેરે સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યના કાલકારો રજૂ કરશે. રવિવારે કળશયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં દેશભરના ધાર્મિક સ્થાનો જેમકે, અયોધ્યા, વૃંદાવન, કાશી, પ્રયાગરાજ, મથુરા સહિત ધાર્મિક સ્થળેથી જળ એકત્રિત કરાશે. હાલ રથયાત્રાને કલરકામ, રિપેરિંગ વગેરે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 20થી વધુ ભક્તો, યુવાનો પોતાની સેવા આપી રહ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા કૈલાસધામ આશ્રમના મહંત રામકિશોરદાસજીએ જણાવ્યું હતું કે, આ વખતે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામના વસ્ત્રો વૃંદાવનના કારીગરો તૈયાર કરશે. આ માટેની કામગીરી શરૂ થઈ ગઇ છે. તેમજ સોના-ચાંદીના આભૂષણો, જેવા કે સોનાની નથણી, વીંટી, બૂટી, કંગન, બાજુબંધ, હાર વગેરે ખાસ ઓર્ડર દઇને તૈયાર કરવામાં આવ્યા છે. મામેરા વિધિ માટે ભક્તોમાં અનોખો ઉત્સાહ હોય છે. આ માટે વેઈટિંગ પણ જોવા મળે છે. આ વખતે મામેરા વિધિનો લહાવો ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ઇશ્વરચંદ્ર અને તેના પરિવારજનો લેશે. ઘોડા, કાર, બાઈક, ફ્લોટ્સ વગેરે રથયાત્રામાં જોડાશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow