રાજકોટ ફિનિશિંગ માટે આપેલા રૂ. 3.50 લાખના ઘરેણાં લઇ બંગાળી ફરાર

રાજકોટ ફિનિશિંગ માટે આપેલા રૂ. 3.50 લાખના ઘરેણાં લઇ બંગાળી ફરાર

રાજકોટની સોની બજારમાં ફિનિશિંગ માટે વેપારીએ આપેલા સાડા ત્રણ લાખના ઘરેણાં લઇ બંગાળી કારીગર રફુચક્કર થઇ જતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.પેલેસ રોડ પર રહેતા પ્રતિકભાઇ રાજેશભાઇ પાટડિયા નામના સોની વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની સોની બજાર, કામદાર શેરીમાં આવેલા અંકિત દર્શન એપાર્ટમેન્ટમાં રતન જ્વેલર્સના નામથી સોનાનું ઘાટકામ કરવાની દુકાન ધરાવે છે. ઘરેણાં ઘડવા માટે બે કારીગર હોય અને વધુ એક કારીગરની જરૂરિયાત હોય પરિચિત કારીગરને વાત કરી હતી. જેથી તેને મૂળ પ.બંગાળનો અને રાજકોટમાં રામનાથપરા-5માં ભાડાના મકાનમાં રહેતા નવસાદ અલી સરકાર નામના કારીગર સાથે ઓળખાણ કરાવી હતી.

તેની સાથે વાતચીત કર્યા બાદ તેને તા.2-11-2022ના રોજ નોકરીએ રાખ્યો હતો. દરમિયાન તા.18-12ની રાતે રાતપાળીમાં દુકાને કામ ચાલુ હતું. બાદમાં એક વાગ્યા બાદ ત્રણેય કારીગર અને પોતે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યાં હતા. આ સમયે નવસાદને સોનાની બાલીનું કામ આપ્યું હોય રૂ.3.50 લાખની કિંમતનું 85 ગ્રામ સોનું તેની પાસે હતું.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow