જૈન સાધુઓ માટે હાથ જ છે થાળી-ગ્લાસ, દિવસમાં એકવાર જ ખાવા-પીવાનું, સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી કંઈ જ નહીં

જૈન સાધુઓ માટે હાથ જ છે થાળી-ગ્લાસ, દિવસમાં એકવાર જ ખાવા-પીવાનું, સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી કંઈ જ નહીં

જૈન સાધુ શુદ્ધ અને સાત્વિક જીવન જીવે છે

જૈન સાધુ દિવસમાં માત્ર એક વખત ભોજન કરે છે અને એક જ વખત પાણી પીવે છે. ત્યારબાદ આખો દિવસ નહીં.  

ભોજન પણ તેઓ થાળી અને વાડકામાં લેતા નથી અને ગ્લાસમાં પાણી પીતા નથી. જૈન સાધુ હાથથી ખાવા-પીવામાં ઉપયોગ કરે છે. એટલેકે તેમની હથેળી જ તેમની થાળી બની જાય છે અને આ જ ગ્લાસ. તેઓ ક્યાારેય જાતે ભોજન બનાવતા નથી, બસ ઘરમાં રહેલ શાકાહારી, સાત્વિક અને શુદ્ધ ભોજન જ ગ્રહણ કરે છે.  

પાણી પણ ઉકાળેલુ પીવે છે. એટલેકે સાધ્વી જરૂર પોતાની સાથે લાકડીમાંથી બનાવેલા વાડકા રાખે છે, જેમાં ભોજન ગ્રહણ કરે છે.

સાધ્વી માત્ર એક જોડી વસ્ત્ર રાખે છે

ઘણા વર્ષ પહેલા લંડનમાં સાધ્વી સામની પ્રતિભા પ્રજ્ઞાએ એક જાણીતી ચેનલના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ તે અને તેમના જેવી સાધ્વી માત્ર એક જોડી વસ્ત્ર રાખે છે. આ સિવાય મુખ્ય રીતે તેમની પાસે હાથેથી લાકડીમાંથી બનાવેલા ત્રણ પાત્ર, જેમાં તે ભોજન ભેગુ કરે છે અને ખાય છે.

જૈન સાધુ અને સાધ્વીઓનુ જીવન હોય છે કપરું

જૈન સાધુ દરેક પ્રકારના ભૌતિક સંસાધનોનો ત્યાગ કરી દે છે અને ખૂબ સાદગીની સાથે સારું જીવન પસાર કરે છે. ત્યાં સુધી કે વિદેશમાં રહેતા જૈન સાધુ અને સાધ્વીઓ પણ આ પ્રકારનુ કપરું જીવન વિતાવે છે. રહેવાનો આશ્રય અને ભોજન જૈન સમુદાય તેમને પુરું પાડે છે અથવા જૈન ધર્મના મંદિરોની સાથે જોડાયેલા મઠમાં રહે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow