દેશમાં જુલાઇ માસમાં ખાદ્ય ફુગાવો RBIના લક્ષ્યને આંબી જશે: નોમુરા

દેશમાં જુલાઇ માસમાં ખાદ્ય ફુગાવો RBIના લક્ષ્યને આંબી જશે: નોમુરા

દેશમાં જુલાઇ દરમિયાન શાકભાજીની કિંમતોમાં ભારે તેજીને પગલે ફુગાવો ફરીથી RBIના 6%ના નિર્ધારિત લક્ષ્યાંકને આંબી જશે તેવી શક્યતા જાપાનની બ્રોકરેજ ફર્મ નોમુરા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સરકારે ચાલુ સપ્તાહની શરૂઆતમાં બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે હવે સરકાર સતત વધતી કિંમતોને અંકુશમાં કરવા માટે સપ્લાય સાઇડ તરફ વધુ પગલાં લે તેવી શક્યતા છે.

ગત વર્ષે સતત ત્રણ ક્વાર્ટર સુધી ફુગાવો RBIના નિર્ધારિત 6%ના લક્ષ્યાંકથી ઉપર રહ્યો હતો. ફુગાવો વધુ રહેવાને કારણે RBIએ નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ફુગાવો વધુ રહેતા સરકારને તેનું કારણ આપવાની ફરજ પડી હતી. RBIએ ફુગાવાને અંકુશમાં લેવા માટે રેપોરેટમાં મે 2022થી સતત વધારો કરવાનું ચાલુ કર્યું હતું. રેપોરેટમાં કુલ 2.50% સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં RBIએ ગ્રોથ પર ફોકસ કરવા માટે રેપોરેટને યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો અને અનેક નિષ્ણાતોના મતે RBI વ્યાજદરમાં કાપ મૂકતા પહેલા લાંબા સમય સુધી વ્યાજદરો યથાવત્ રાખે તેવી શક્યતા છે. જૂનમાં CPI ફુગાવો વધીને 4.81% રહ્યો હતો જે મેમાં 4.31% હતો. ખાદ્યપદાર્થોની કિંમતમાં વધારાને કારણે CPI ફુગાવો વધ્યો હતો. સરકારે સપ્ટેમ્બર દરમિયાન બિન-બાસમતી ચોખાની નિકાસ પર 20% ટેક્સ લાગૂ કર્યો હતો. ચોખાની 42% નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

વૈશ્વિક સ્તરે ચોખાની નિકાસમાં ભારતનો 40% હિસ્સો
વૈશ્વિક સ્તરે ચોખાની નિકાસમાં ભારત 40% હિસ્સો ધરાવે છે અને નિકાસ પર પ્રતિબંધથી વૈશ્વિક કિંમતો પર તેનો પ્રભાવ પડશે. ભારતના પગલાંથી થાઇલેન્ડને ફાયદો થઇ શકે છે કારણ કે દક્ષિણ પૂર્વ એશિયન દેશ મુખ્ય નિકાસકાર છે. ચોખાની આયાત કરતા દેશોમાં ફિલિપાઇન્સ, સિંગાપુર, હોંગકોંગ અને મલેશિયા સામેલ છે. ભારતના પગલાને કારણે આ દેશો પર પણ અસર થઇ શકે છે. આગામી સમયમાં જો કે કેટલાક વૈશ્વિક પરિબળોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે તો મોંઘવારીને લઇને સ્થિતિ બદલાઇ શકે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow