કમોસમી વરસાદને પગલે રાજકોટ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કર્યો

કમોસમી વરસાદને પગલે રાજકોટ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.20નો વધારો કર્યો

રાજકોટ સહકારી ડેરીના દૂધ ઉત્પાદકો માટે રાહતના સમાચાર છે. રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે આગામી 21 માર્ચ થી દૂધ મંડળીઓને કિલોફેટે 20 રૂપિયા ભાવવધારો આપવામાં આવશે. આથી હવે દૂધ મંડળીઓને કિલોફેટે 790 રૂપિયા ચૂકવવામાં આવશે. કમોસમી માવઠાની સ્થિતિને ધ્યાને લઇને ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ દૂધના ફેટમાં ભાવવધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.

જૂનો ભાવ 770 અને નવો ભાવ 790
અગાઉ રાજકોટ ડેરીએ ફેબ્રુઆરી માસમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી જૂનો ભાવ 760 હતો જે વધીને 770 કરવામાં આવ્યો હતો જેમાં ફરી બીજી વખત વધારો જાહેર કરી 770 ના 790 રૂપિયા 21 માર્ચ એટલે કે મંગવારથી ચુકવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 50 હજાર દૂધ ઉત્પાદકોને આ ભાવવધારાથી સીધો ફાયદો થશે.

દૂધ ઉત્પાદનને વેગ મળશે
નવા વર્ષની શરૂઆતમાં બીજી વખત ભાવવધારો કરવાનો નિર્ણય ડેરી દ્વાર કરવામાં આવ્યો છે. દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલો ફેટે 770 રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં 20 રૂપિયાનો વધારો કરતા હવે 790 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ 700 રૂપિયા આસપાસ હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવ વધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow