દેશમાં Q2માં FMCG વેચાણ ઘટ્યું

દેશમાં Q2માં FMCG વેચાણ ઘટ્યું

દેશમાં બીજા ક્વાર્ટર દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મંદી અને રિટેલ ફુગાવાને કારણે FMCG સેક્ટરને અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો છે પરંતુ આ વર્ષના બીજા છ મહિના દરમિયાન માંગમાં રિકવરી જોવા મળે તેવો આશાવાદ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

મેરિકો, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL) અને ડાબરે તેની ક્વાર્ટરલી અપડેટમાં જણાવ્યું હતું કે બીજા ક્વાર્ટર દરમિયાન સતત વધેલા ફુગાવાને કારણે સર્જાયેલા દબાણને પરિણામે માંગમાં નરમાઇ જોવા મળી હતી. પરંતુ, ચાલુ નાણાકીય વર્ષના બાકીના બે ક્વાર્ટર દરમિયાન ફુગાવામાં ઘટાડો તેમજ તહેવારોની સીઝનને કારણે વપરાશ વૃદ્વિને વેગ મળશે તેવી કંપનીઓ અપેક્ષા સેવે છે.

કોમોડિટીની કિંમતોમાં ઘટાડાથી ફુગાવા પરના દબાણમાં નરમાઇ તેમજ સામાન્ય ચોમાસા જેવા સકારાત્મક પરિબળોના જોરે વર્ષના બીજા છ મહિના દરમિયાન વપરાશ ફરીથી ટ્રેક પર જોવા મળશે તેવું GCPLએ ક્વાર્ટરલી અપડેટમાં જણાવ્યું હતું.

3 વર્ષનો CAGR સિંગલ ડિજીટમાં રહ્યો હતો. દેશમાં ગત ક્વાર્ટરની માફક જ આ ક્વાર્ટર દરમિયાન પણ માંગનું સેન્ટિમેન્ટ સમાન રહ્યું હતું. ગત મહિને રિટેલ ફુગાવો સ્થિર રહેવાને કારણે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ડાઉનટ્રેડિંગને કારણે કેટલાક અંશે સકારાત્મકના સંકેતો મળ્યા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow