ભયના ઓથાર વચ્ચે રહેતા ફ્લેટધારકો, આદિપુરની જર્જરીત ઇમારત આચકાઓથી બની વધુ જોખમી

ભયના ઓથાર વચ્ચે રહેતા ફ્લેટધારકો, આદિપુરની જર્જરીત ઇમારત આચકાઓથી બની વધુ જોખમી

કચ્છમાં વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ હજુ પણ ક્યારેક હળવા આંચકા આવી રહ્યા છે ત્યારે બહુમાળી ઇમારતોની સ્થિતિ ખખડધજ બની રહી છે. આદિપુરમાં 4 - એ વિસ્તારમાં આવેલા ચંદ્રમુખી એપાર્ટમેન્ટમાં હાલ 10 જેટલા પરિવારો રહે છે. ભૂકંપ પહેલાં બનેલી આ ઈમારતમાં નાના આંચકા આવે અને અહીંના રહેવાસીઓમાં ભયનો માહોલ થઈ જાય છે. બિલ્ડિંગમાં પાછળના ભાગના ફ્લેટમાં અવારનવાર પોપડા ખરતા હોવાના બનાવ બનતા રહે છે. તો, ઠેકઠેકાણે ઇમારતના બાંધકામમાં સળિયા બહાર દેખાઈ રહ્યા છે.

આ સિવાય, છતમાં પણ સળિયા બહાર આવી ગયા છે. હાલ રહેતા કેટલાક રહેવાસીઓના જણાવ્યાનુસાર, ફ્લેટધારકોને યોગ્ય વળતર મળે તે માટેની સરકારની યોગ્ય નીતિ ન હોવાથી તેઓ અહીં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ સિવાય, કેટલાકફ્લેટમાલિકો તેમના ફ્લેટ ભાડે આપીને અન્યત્ર રહેવા નીકળી ગયા છે. બીજી તરફ, રામબાગ રોડને અડીને આ ઈમારત આવેલી હોવાથી કોઈ મોટા અકસ્માતનો ભય પણ રહે છે. ગાંધીધામ - આદિપુરમાં સેંકડો ઇમારતો એવી છે જે ભૂકંપના સતત આંચકા આવતા જર્જરિત થઈ ગઈ છે અને કેટલીક ઇમારતો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. પરંતુ, યોગ્ય નીતિ અને ઝડપી કામગીરી ન થવાને લીધે ઇમારતોની સ્થિતિ બદ થી બદતર થઈ રહી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow