ભયના ઓથાર વચ્ચે રહેતા ફ્લેટધારકો, આદિપુરની જર્જરીત ઇમારત આચકાઓથી બની વધુ જોખમી

ભયના ઓથાર વચ્ચે રહેતા ફ્લેટધારકો, આદિપુરની જર્જરીત ઇમારત આચકાઓથી બની વધુ જોખમી

કચ્છમાં વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ હજુ પણ ક્યારેક હળવા આંચકા આવી રહ્યા છે ત્યારે બહુમાળી ઇમારતોની સ્થિતિ ખખડધજ બની રહી છે. આદિપુરમાં 4 - એ વિસ્તારમાં આવેલા ચંદ્રમુખી એપાર્ટમેન્ટમાં હાલ 10 જેટલા પરિવારો રહે છે. ભૂકંપ પહેલાં બનેલી આ ઈમારતમાં નાના આંચકા આવે અને અહીંના રહેવાસીઓમાં ભયનો માહોલ થઈ જાય છે. બિલ્ડિંગમાં પાછળના ભાગના ફ્લેટમાં અવારનવાર પોપડા ખરતા હોવાના બનાવ બનતા રહે છે. તો, ઠેકઠેકાણે ઇમારતના બાંધકામમાં સળિયા બહાર દેખાઈ રહ્યા છે.

આ સિવાય, છતમાં પણ સળિયા બહાર આવી ગયા છે. હાલ રહેતા કેટલાક રહેવાસીઓના જણાવ્યાનુસાર, ફ્લેટધારકોને યોગ્ય વળતર મળે તે માટેની સરકારની યોગ્ય નીતિ ન હોવાથી તેઓ અહીં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ સિવાય, કેટલાકફ્લેટમાલિકો તેમના ફ્લેટ ભાડે આપીને અન્યત્ર રહેવા નીકળી ગયા છે. બીજી તરફ, રામબાગ રોડને અડીને આ ઈમારત આવેલી હોવાથી કોઈ મોટા અકસ્માતનો ભય પણ રહે છે. ગાંધીધામ - આદિપુરમાં સેંકડો ઇમારતો એવી છે જે ભૂકંપના સતત આંચકા આવતા જર્જરિત થઈ ગઈ છે અને કેટલીક ઇમારતો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. પરંતુ, યોગ્ય નીતિ અને ઝડપી કામગીરી ન થવાને લીધે ઇમારતોની સ્થિતિ બદ થી બદતર થઈ રહી છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow