પહેલા બાઈક સવારને અડફેટે લીધા, પછી બસની રાહ જઈ રહેલા લોકોને કચડ્યા

પહેલા બાઈક સવારને અડફેટે લીધા, પછી બસની રાહ જઈ રહેલા લોકોને કચડ્યા

મધ્યપ્રદેશના રતલામમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. આ અકસ્માત રતલામથી અંદાજે 27 કિલોમીટર દૂર સાતરૂંડા ચોક પાસે થયો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે સ્પીડમાં આવેલા ટ્રકે રસ્તાની સાઈડમાં ઊભેલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં 5 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. જ્યારે 2 લોકોના પાછળથી મોત થયા હતા.

આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ટ્રક સ્પીડમાં આવે છે. તે પહેલા ક્રોસ કરી રહેલા બાઈક સવારેને ટક્કર મારે છે. અને પછી ડિવાઈડરની તરફ બસની રાહ જોઈ રહેલા લોકોને કચડી નાખે છે.

ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને સ્થાનિકોએ ઘાયલોને નજીકની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ પહોંચાડ્યા હતા. જેમાં 10 ઘાયલોમાંથી 2 ગંભીર રીતે ઈજાગ્રસ્તોએ રસ્તામાં જ દમ તોડી લીધો હતો. 8 ઈજાગ્રસ્તોને પ્રાઇવેટ અને રતલામ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 2 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે.

આ ઘટના રવિવારે સાંજે અંદાજે 5 વાગ્યાની છે. સાતરૂંડા ચોક પાસે અમુક લોકો રસ્તાની સાઈડમાં બેસીને બસની રહા જોઈ રહ્યા હતા. ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રક બેકાબૂ બનીને લોકોને કચડીને નીકળી ગયો હતો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow