રાજકોટમાં આગ બુઝાવવાની તાલીમ આપવા ફાયર વિભાગ કાર્યરત, અરજી કરો સત્વરે ફ્લેટમાં મોકડ્રિલ યોજાશે

રાજકોટમાં આગ બુઝાવવાની તાલીમ આપવા ફાયર વિભાગ કાર્યરત, અરજી કરો સત્વરે ફ્લેટમાં મોકડ્રિલ યોજાશે

રાજકોટની હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગના બનાવ અટકે એ હેતુથી મનપાના ફાયર વિભાગ દ્વારા તા.31-01-2023થી તા.31-12-2023 એમ એક વર્ષ સુધી સુધી શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગમા દૈનિક એક મોકડ્રીલ કરવાનું નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે મનપા દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે ફાયર શાખામાં પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે અને આગ લાગે ત્યારે કેવી સાવચેતી રાખવી તેની તાલીમ આપવામાં આવશે.

સ્વસ્તિક હાઈલેન્‍ડમાં મોકડ્રિલ યોજાઈ
જે અંગે પ્રથમ મોકડ્રીલ સ્વસ્તિક હાઈલેન્‍ડ, રૈયા રોડ ખાતે કરવામાં આવી હતી. આ ફાયર સેફટીની તાલીમ દરમ્યાન સ્વસ્તિક હાઈલેન્‍ડ, શાંતીનગર, રૈયા ધાર, રૈયા રોડ ખાતે બિલ્ડીંગના 130 જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયા હતા. જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોનો, આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તેની તાલીમ આપી હતી.

સિટી બસમાં ગેરરીતિ આચરતા 7 કંડકટર સસ્પેન્ડ
રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 7 કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ અને 2 કંડકટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.3.46 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ એક સપ્તાહમાં સિટી બસમાં 1.71 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુ.22,100ની પેનલ્ટી કરાઈ છે. સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 20 મુસાફર પાસેથી રુા.2,200નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow