વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સતર્કતા સાથે નાણાકીય આયોજન જરૂરી

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે સતર્કતા સાથે નાણાકીય આયોજન જરૂરી

વૈશ્વિક સ્તરે તાજેતરમાં યુએસમાં બે બેન્કો નાદાર થવાની ઘટનાઓની સાથે સાથે કેટલાક અન્ય પરિબળોને કારણે ઉદ્યોગપતિઓ અને સામાન્ય લોકોએ નાણાકીય, કોર્પોરેટ તેમજ બચત ખાતાને લગતી યોજના બનાવવામાં વધુ સતર્કતા રાખવી પડશે તેવું મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંથા નાગેશ્વરને જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનો વૈશ્વિક વૃદ્ધિદર અંગેનો અંદાજ હવે ધ્યાનમાં રાખવાને બદલે યુએસમાં બનનારી ઘટનાઓથી વ્યાજદરો, સપ્લાય ચેઇનને થનારી અસરો પર દરેક દેશોએ ધ્યાન આપવું પડશે.

અમેરિકામાં ગત સપ્તાહે સિગ્નેચર બેન્ક અને ન્યૂયોર્ક બેન્કે નાદારી નોંધાવી હતી. તે ઉપરાંત, ગત સપ્તાહે સિલિકોન વેલી બેન્કને તાળા લાગતાં અનેક સ્ટાર્ટઅપ્સ, ટેક કંપનીઓ, ઉદ્યોગસાહસિકો અને VC ફંડ્સ ચિંતામાં મૂકાયા હતા. ક્રિસિલ ઇન્ડિયા આઉટલૂક સેમિનારને સંબોધિત કરતા નાગેશ્વરને જણાવ્યું હતું કે અનિશ્વિતતાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને છેલ્લા કેટલાક સપ્તાહથી તેની તીવ્રતા વધી છે. આગામી કેટલાક વર્ષો દરમિયાન અનેક દેશોએ આ અનિશ્વિતતા સાથે રહેવાની આદત પાળવી પડશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow