ફાયદો નહીં શરીરને નુકસાન કરે છે અંજીર, વધારે પ્રમાણમાં સેવન કરવાથી થાય છે આ મુશ્કેલીઓ

ફાયદો નહીં શરીરને નુકસાન કરે છે અંજીર, વધારે પ્રમાણમાં સેવન કરવાથી થાય છે આ મુશ્કેલીઓ

ડ્રાય ફ્રૂટ્સ ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઘણીવાર ડાયટિશિયન્સ અને હેલ્થ એક્સપર્ટ સારા સ્વાસ્થ્ય માટે ડ્રાય ફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. તેની ઈમ્યુન વેલ્યૂ ખૂબ જ વધારે હોય છે. તેનો સ્વાદ આપણને ખૂબ આકર્ષે છે. પરંતુ આપણે તેનું સેવન ક્યારેય પણ જરૂર કરતા વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ.

જરૂર કરતા વધારે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. એવું જ એક ફળ છે અંજીર જેને રાંધીને અને સૂકવીને બંને રીતે ખાઈ શકાય છે. પરંતુ તેને લાંબા સમય સુધી પ્રિઝર્વ કરવા માટે તેને ડ્રાયફ્રૂટનો આકાર આપવામાં આવે છે. ન્યુટ્રિશન એક્સપર્ટે જણાવ્યું કે શા માટે આપણે વધુ સૂકા અંજીર ન ખાવા જોઈએ.

કેલ્શિયમની ઉણપ
જે લોકો ખૂબ અંજીર ખાય છે તેમના શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે કારણ કે આ ડ્રાય ફ્રૂટમાં રહેલા ઓક્સિલેટ આપણા શરીરમાં રહેલા તમામ કેલ્શિયમને શોષી લે છે. કેલ્શિયમની ઉણપને કારણે આપણાં હાડકાં અને શરીર નબળાં પડી જાય છે.

પેટ ફૂલવાની સમસ્યા
કેટલાક લોકો સુકા અંજીરને સ્વાદને કારણે વધુ ખાવા લાગે છે. પરંતુ તેના કારણે પેટ ભારે થઈ જાય છે અને પછી પેટમાં દુખાવો અને પેટ ફૂલવાની ફરિયાદ રહે છે. તેનાથી બચવા માટે તમારે અંજીર ખાધા પછી એક ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ.

કિડની અને પિત્તાશયની સમસ્યાઓ
જે લોકોને કિડની અને પિત્તાશયની બીમારી છે, તેઓએ અંજીર ખૂબ ઓછી માત્રામાં ખાવું જોઈએ કારણ કે તેમાં જોવા મળતું ઓક્સાલેટ આ અંગોને નુકસાન પહોંચાડે છે. તે એ સ્પ્લીનને ખતમ કરે છે જેના દ્વારા શ્વેત રક્તકણો બને છે.

બ્લિડિંગની સમસ્યાઓ
અંજીરની તાસીર ગરમ હોય છે. તેથી ઉનાળાની ઋતુમાં તેને વધુ ન ખાવું જોઈએ નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. શિયાળામાં પણ તેનું નિશ્ચિત માત્રામાં સેવન કરવું જોઈએ નહીં તો બ્લિડિંગની સમસ્યા ઊભી થઈ શકે છે.

કિડની અને પિત્તાશયની સમસ્યાઓ
જે લોકોને કિડની અને પિત્તાશયની બીમારી છે, તેઓએ અંજીર ખૂબ ઓછી માત્રામાં ખાવું જોઈએ કારણ કે તેમાં જોવા મળતું ઓક્સાલેટ આ અંગોને નુકસાન પહોંચાડે છે. તે એ સ્પ્લીનને ખતમ કરે છે જેના દ્વારા શ્વેત રક્તકણો બને છે.

બ્લિડિંગની સમસ્યાઓ
અંજીરની તાસીર ગરમ હોય છે. તેથી ઉનાળાની ઋતુમાં તેને વધુ ન ખાવું જોઈએ નહીં તો તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. શિયાળામાં પણ તેનું નિશ્ચિત માત્રામાં સેવન કરવું જોઈએ નહીં તો બ્લિડિંગની સમસ્યા ઊભી થઈ શકે છે.

લિવર અને આંતરડાને નુકસાન
જો તમે જરૂર કરતા વધારે અંજીર ખાઓ છો તો તમારા લીવરમાં સમસ્યા થઈ શકે છે. આ સાથે આંતરડામાં બ્લોકેજ થવાનું પણ જોખમ બને છે. તેનું કારણ એ છે કે આ ફળના બીજ સરળતાથી પચી શકતા નથી.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow